Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 322
________________ ધનારી આ મંદિરના છકીના ડાબા હાથ તરફના પાટડા ઉપર સં. ૧૩૪૮ને લેખ છે. આ ઉપરથી આ ગામ અને મંદિર ઉક્ત સંવતથી વધારે પ્રાચીન લાગે છે. આ લેખમાં અહીં શ્રીહષભદેવ ભગવાન મૂળના હોવાનું જણાવ્યું છે. એટલે પાછળથી જીર્ણોદ્ધાર વખતે મૂળ નાગ તરીકે શ્રી શાંતિનાથ ભગવાનને સ્થાપન કર્યા હશે એમ લાગે છે. ડાબા હાથ તરફની દેરીમાંનાં જિનબિંબ ૩, સં૦ ૧૯૬૧ માં સ્થાપન કરેલાં છે. છચોકીમાં યક્ષ ૧ અને યક્ષિણી ૧ છે. ધ્વજા, દંડ, કળશ વગેરે સં૦ ૧૯૬૧ માં ચઢાવેલાં છે. જમણા હાથ તરફની દેરીમાં શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિજી વગેરેનાં પગલાં જેડી ૪ નો પટ ૧, સં૦ ૧૯૬૧ માં સ્થાપન કરેલ છે. મૂળગભારા બહાર પાછળના ગોખલામાં શ્રી અંબિકાદેવીની નાની મૂર્તિ ૧ છે. મંદિરની પાછળ બાજુના ભાગમાં મંદિરખાતાને બગીચો છે, તેમાં કૂવો તથા એક ઓરડે છે. (૨) ઘર-દેરાસરઃ શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિજીના નોરામાં ઘર-દેરાસર રાખેલું છે તેમાં ધાતુની ચોવિસી ૧, પંચતીર્થ ૨, ધાતુની સાવ નાની પાર્શ્વનાથજીની એકલમૂતિ ૩ અને આરસની બે-ત્રણ ઈંચની શ્યામવણી કેસરિયાજીની મૂર્તિ ૧ છે. આ બધી મૂર્તિઓ ઘર-દેરાસર તરીકે એક ઓરડાના એક ભીંતિયા કબાટમાં રાખેલ છે. ૧ જેમાં શ્રી પૂજ્ય શિષ્ય પરિવાર સાથે રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372