Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧
હું અધ્યયન-૧- “વિનયશ્રુત” કે
• નિયુક્તિ - ૨૮ + વિવેચન -
આ અધ્યયનો મધ્યે પહેલું “વિનય” નામે અધ્યયન શ્રુત છે. તે વિનયશ્રુત'. વિનયકૃતના ઉપક્રમાદિ દ્વારો, તેના ભેદ, નિરપ્તિ, ક્રમ, પ્રયોજન, પ્રતિપાદન દ્વારથી કહીને, આ અનુયોગ કQો. અહીં વિનયથી અધિકાર છે, તેને અહીં અનેક પ્રકારે કહેલ છે. - ૪૯ - અહીં પણ અવસર જણાવવા માટે જ નિયુક્તિકારે “
પ્રય' કહેલ છે, પ્રરૂપીશ” એમ કહેલ નથી. - - અહીં ચાર અનુયોગ દ્વારો છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેના ભેદો અનુક્રમે બે, ત્રણ, બે, બે. ઉપક્રમણની નિયુક્તિ-દૂર રહેલ વસ્તુને તે તે પ્રકારોથી સમીપ લાવવી તે ઉપક્રમ છે. નિયત કે નિશ્ચિત નામાદિ સંભવતા પક્ષ રચનારૂપ ક્ષેપણમૂકવા તે નિક્ષેપ. અનુરૂપ સૂકાઈ અબાધાથી તેનું અનુગુણ ગમન - સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરવાને પ્રવર્તન તે અનુગમ. અનંત ધમત્મિક વસ્તુના નિયત એક ધર્મના અવલંબથી પ્રતીત તે નય. ક્રમ પ્રયોજન કહે છે - આનુપૂર્વાદિ વડે ન્યાસ દેશ લાવ્યા સિવાય શાસ્ત્રનો નિક્ષેપ શક્ય નથી. શોધ નિષ્પન્ન નિક્ષેપ વિના અનિશ્ચિમનું અનુગમન શક્ય નથી. સૂત્રાદિ અનુગમ વડે અનુગત થયા વિના નય વડે વિચારી ન શકાય. આ ક્રમ છે. - x-x- (અહીંવૃત્તિકારે સંગ્રહ શ્લોક મૂકેલા છે, જે ઉકત અર્થના જ સૂચક છે.)- ૪ - હવે તેના ભેદ વિસ્તારથી આ અધ્યયન વિચારણા
ઉપક્રમે બે ભેદે છે - લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક ઉપક્રમ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી છ પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પછી દ્રવ્યોપક્રમ કહે છે - તે સચિત્ત, સચિત્ત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તે પ્રત્યેક પરિકર્મ વિના બળે ભેદે છે. તેમાં પરિકર્મ સચિત્ત દ્રવ્યોપક્રમ અવસ્થિત દ્વિપદ, ચતુષ્પદ, અપદ રૂપ મનુષ્ય, અશ્વ, વૃક્ષાદિ સચિત્તવસ્તુનો છે. - ૮ - ૪ - અચિત્તદ્રવ્યોપકમ સુવર્ણ આદિના કટક, કુંડલાદિ છે. મિશ્ર દ્રવ્યોપક્રમ તે સચિત્ત દ્વિપદાદિને અચિત્ત કેશાદિ સહિત સ્નાનાદિ સંસ્કાર કરણ છે. એ પ્રમાણે વિનાશમાં પણ દ્રવ્યોપકમ ત્રણ ભેદે છે. - x x
એ પ્રમાણે ક્ષેત્રાદિ ઉપક્રમ. પણ પરિકર્મવિનાશ ભેદથી બે પ્રકારે છે, તેમાં જે કે ક્ષેત્ર નિત્ય અને અમૂર્ત છે, તેથી તેનું પરિકર્મ અને વિનાશ નથી, તો પણ તેના આધેય જળ આદિનો નાવાદિ હેતુથી ઉપચાર વડે તેનો ઉપક્રમ છે. - - - કાળ, વર્તનાદિ રૂપ પણાથી દ્રવ્ય અને પર્યાયરૂપ જ છે. દ્રવ્ય અને પર્યાય નરસિંહ વત્ અન્યોન્ય સંવલિત છે. તેથી તે દ્વારથી તેના ગુણ વિશેષના આધાન અને વિનાશ ઉપક્રમ શબ્દથી કહેવા. * x x x x- ઇત્યાદિ. ભાવોપક્રમ પણ જો કે ભાવના પર્યાયિત્વથી અને તે દ્રવ્યથી કંઈક અનન્યત્વી ઉપક્રમ નામથી કહેલ જ છે. તો પણ જીવદ્રવ્ય પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org