Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ ૪/૧૧૮ ૧૬૯ કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આ લોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેદવા પડે છે. અથવા હે પ્રાણીઓ! આ લોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અર્થાત્ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષ ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે - એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂરવગાઢ પ્રસાદે ચડીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘરે પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસ ગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે. જો જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો. ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી ક્ષત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ક્ષુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે? તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે હું આમાંથી કઈ રીતે નીકળેલો? પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્ર મુખને અવલોકે છે. તે રાજ નિયુક્ત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાપ છે. આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા અમુક્ત વિભજ્ય જ ધનાદિવત્ ભોગવશે એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે - ૦ સૂત્ર - ૧૧૯ સંસારી જીવ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળના ઉદયના સમયે કોઈ પણ બંધુ બાંધવતા દેખાડતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.) • વિવેચન - ૧૧૯ B પાપકર્મની સહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જો આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે - સંસરવું તે સંસાર, તેમાં તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ય - પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય તે. કર્મ - ખેતી આદિ, તેથી તે કૃષ્યાદિ કર્મ કર્તા! બીજાને માટે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન - ફળના અનુભવ ન મળે, તે બંધુઓ - સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેનો વિભાગ કરીને કર્મોને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મ જ ભાવવો જોઈએ. કઈ રીતે ? તેવા પ્રકારના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226