Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬/૧૬૧
૨૦૧૫ તે ગોધે તે જોયું. પણ વિચારે છે કે, મારે બહુ ભટકવાની શી જરૂર છે? આની પાછળ જ વળગી રહ્યું. તે તેની પાછળ લાગી ગયો. આરાધના તે બોલ્યો - હું શું કરું? ગોધે કહ્યું કે - તારી કૃપાથી હું પણ આવા ભોગોને ભોગવું. ચાંડાલે પૂછ્યું - બોલ, વિધા ગ્રહણ કરવી છે કે વિધા વડે અભિમંત્રિત ઘટ જોઈએ છે? તે વિધા સાધવા પરત્વે ભીરુ બનીને અને ભોગની તૃષ્ણાથી કહ્યું કે . વિધાભિમંત્રિત ઘડો આપ.
ચાંડાલે તે ઘડો આપ્યો. ગોધ - આળસુ તે લઈને પોતાના ગામે ગયો. ત્યાં ભાઈઓ સાથે સહવાસ કરવા છતાં પણ જેવી રુચિ હતી તેવું ભવન વિશુવ્યું. તેમની સાથે ભોગો ભોગવતો રહે છે. તેના કર્મકરો સદાવા લાગ્યા. ગાય આદિને સંગોપિત ન કરાતા, તે પણ ચાલી ગયા. તે કાલાંતરે અતિ ખુશ થઈને તે ઘડાને સ્કંધ ઉપર રાખીને તેના પ્રભાવથી ભાઈઓની વચ્ચે પ્રમાદ કરવા લાગ્યો, દારૂ પીને નાચવા લાગ્યો. તેના પ્રમાદથી તે ઘડો ભાંગી ગયો. તેનો ઉપભોગ નાશ પામ્યો. પછી તે ગામડીયો નષ્ટ વૈભવવાળો થઈ, દુખોને અનુભવવા લાગ્યો. જો તેણે વિધા ગ્રહણ કરી હોત તો તે ભાંગેલા ઘડાને ફરી કરી શક્યો હોત.
આ પ્રમાણે અવિધાનર દુખથી કલેશ પામે છે.
નાગાર્જુનીયો પણ કહે છે - તેઓ બધાં દુખાર્જિતા થાય. જેમના વડે દુઃખ ઉપાર્જિત છે. તે અર્જિત દુખવાળા થાય. અથવા જેટલા વિધાપ્રધાન પુરુષો છે, તે બધાં અવિધમાન દુઃખોત્પતિવાળા થાય છે. આ જ અર્થને વ્યતિરેકથી કહે છેમૂઢ એટલે અજ્ઞાનથી આકલિત મતિવાળા જ ઘણીવાર અનંત સંસારમાં ભમે છે. અહીં એક ઉદાહરણ છે, તે આ પ્રમાણે -
જેમ સમુદ્રમાં વણિક દુર્વાતથી આહત થઈ ચાનપાત્રમાં દિશા મૂઢ થયો. ક્ષણમાં જળની અંતર્ગત પર્વત આવતા, તેનું વહાણ ભાંગી ગયું. મોટા તરંગરૂપ કલ્લોલો વડે વાતો કાયબા અને મગર આદિથી વિલય પામ્યો. એ પ્રમાણે તે પણ અવિધામૂઢ ઘણાં શારીરિક માનસિક મહાદુઃખોથી વિલય પામે છે. જો એમ છે, તેથી જે કરવું જોઈએ, તે કહે છે -
• સુત્ર - ૧ -
તેથી પીડિત પણ અનેકવિધ બંધનોની અને જાતિપથોની સમીક્ષા કરીને સ્વયે સત્યની સૌવ કરે. અને નિગાના બધાં પ્રાણીઓ પ્રત્યે મીનીનો ભાવ રાખે.
• વિવેચન ૧ -
હિતાહિતનો વિવેકભાજી પંડિત, જે રીતે આ અવિધાવંત વિલય પામે છે, તેની આલોચના - સમીક્ષા કરીને, મર્યાદાવર્તી -મેઘાવી, તેમાં શું સમીક્ષા કરે તે કહે છે - પાશ એટલે અત્યંત પરવશતાનો હેતુ એવા સ્ત્રી આદિ સંબંધો, તે જ તીવ્ર મહોદયાદિ હેતપણાથી, એકેન્દ્રિય આદિ જાતિના પંથોને - તેના પ્રાપકત્વથી માર્ગને પાશજાતિપથો અવિધાવાનને પ્રભૂત વિલુમિ હેતુ છે. સ્વયં જીવાદિ માટે હિત-સભ્ય રક્ષણ પ્રરૂપણાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org