Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ ૧૯૧ અધ્ય. ૫ ભૂમિકા થાય. અહીંતુ શબ્દ તેના સંખ્યય વર્ષાયુષ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યય વર્ષ આયુવાળાને યુગલધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તવોત્પાદ રૂપ આયુકર્મ ઉપચિત કરે છે. આ અંતરમાં “મોર ઓfહમરણ” ઇત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે - • નિર્યુક્તિ - ૨૨૨ + વિવેચન - અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે.દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. -૦- વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિધમાન નથી તે અવિરત. તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદશા કે સમ્યગુર્દશામાં મરણ તે અવિરત અર્થાત્ બાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવધથી નિવૃત્તિ સ્વીકારેલાનું મરણ તે પંડિત મરણ છે તેમ તીર્થકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થળ પ્રાણ હિંસાદિથી વિરત હોવાથી તે દેશવિરતોનું જાણવું. એ પ્રમાણે ચારિત્ર દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છપ્રસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે • નિર્ણન - ૨૩ + વિવેચન - જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે પ્રસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે. -૦-મરવું- પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છઘસ્થ તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલાં મન પર્યાયનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વ બુદ્ધિથી જાણવું. કેવલિમરણ- કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધપૃષ્ઠમરણ - • નિર્યુક્તિ • ૨૨૪ + વિવેચન - ગીધ, શમળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું, તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધ્રપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃધ્રપૃષ્ઠ, તે પણ • x- પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે. વૈહાયસ-ઉંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉંબંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપત આદિથી આત્મજનિત મરણ, તેને ઉલ્લંધનાદિ કહે છે. ઉચ્છદ્ધનું જ વિહાયસ્ થવું તે, તેની પ્રાધાન્ય વિવક્ષાથી આ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226