Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩૧ પ્રિયદર્શનાએ “તહર” કહી, તે વાત સ્વીકારી, હે શ્રાવક ! હું પડીચોયણા ઇચ્છું છું. ત્યારે તેણી જઈને જમાલિને કહે છે, જ્યારે તેણે આ વાત ન સ્વીકારી ત્યારે હજારના પરિવારની સાથે જઈને ભગવંત મહાવીરની ઉપસંપદામાં વિચારે છે.
જમાલી પણ ત્યાર પછી ચંપા નગરીએ ગયો. ભગવંતની કંઈક નીકટ રહીને ભગવંતને કહે છે - આપ દેવાનપ્રિયના ઘણાં અંતેવાસી શ્રમણો નિર્ચન્હો છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના મૃત્યુ પામ્યા પણ હું તે રીતે છગ્રસ્થ થઈને છપ્રસ્થાવસ્થા છોડ્યા વિના નહીં કરું. હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અહંનું, જિન, કેવલી થઈને મરીશ.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલિને એ પ્રમાણે કહ્યું- હે જમાલિ! નિશ્ચે કેવલીને જ્ઞાન કે દર્શન દૌલ કે સ્તંભમાં ક્યારેય આવતુ કે જતું નથી. હે જમાલિ ! જો તું ઉત્પન્ન જ્ઞાન દર્શનધર છે, તો મારા આ બે પ્રશ્નના ઉત્તર આપ - લોક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ત્યારે જમાલી ગૌતમસ્વામીના પ્રશ્નથી શક્તિ, કાંક્ષિત થયો ચાવતુ ગૌતમસ્વામીને તે કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થતાં મૌન ધરીને ઉભો રહ્યો.
હે જમાલિ. એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિને આ પ્રમાણે કહ્યું - હે જમાલ ! મારા ઘણાં શિષ્યો છઘસ્થ હોવા છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવાને સમર્થ છે, જે પ્રમાણે હું આપી શકું છું. પણ તું જેવી ભાષા બોલે છે, તેવી ભાષા બોલવી ન જોઈએ. આ લોક શાશ્વત છે, તે ક્યારેય ન હતો તેમ નથી, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નથી. લોક હતો, છે અને રહેશે. ચાવતુ લોક નિત્ય છે. હે જમાલિ! લોક અશાશ્વત પણ છે, કેમકે ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે, વળી અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવયોનિમાં પણ જાય.
ત્યારે તે જમાલિ, ભગવંતે આમ કહેવા છતાં આ અર્થની શ્રદ્ધા કરતા નથી, અશ્રદ્ધા કરતો ભગવંત પાસેથી નીકળી જાય છે. નીકળીને ઘણાં જ અસત્ ભાવોભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાને બીજાને અને ઉભયને વ્યગ્રાહિત કરતો ઘણાં વર્ષો શ્રામસ્યપર્યાયને પાળે છે. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે. તપ કરીને અર્ધમાસિકી સંલેખના વડે આત્માને સ્થાપિત કરે છે, તપમાં સ્થાપીને ત્રીશ ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક ક૫માં તેર સાગરોપમ સ્થિતિક દેવોમાં કિબિષિક દેવમાં દેવ પણે ઉત્પન્ન થયો.
એ પ્રમાણે જેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે તેમ અંત કરશે.
આ જોઈને ઘણાં જીવો રત થયા, તેથી બહુરત કહે છે અથવા ઘણાં સમયોમાં કાર્ય સિદ્ધિને માનવામાં રત - આસક્ત તે બહુરતા.
(૨) તિષ્યગુપ્ત - જીવપ્રદેશનો મત જેમ કહ્યો, તે જણાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org