Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯, ૮૦
અલાભથી અંતપ્રાંત આહાર વડે કદાચિત રોગ ઉત્પન્ન થઈ શકે. તેથી રોગ પરીષહને અહીં કહે છે.
• સૂત્ર - ૮૧, ૨
રોગ ઉત્પન્ન થયો જાણીને તેનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રકાાને સ્થિર કરે અને પ્રામ પીડાને સમભાવે સહે... આત્માગનેપક મલિ ચિકિત્સાને અભિનંદે નહીં, આ જ તેનું શામાટય કે તે રગ ઉત્પન્ન થતાં તેની ચિકિત્સા ન કરે, ન કરાવે.
• વિવેચન - ૮૧, ૨
દુખે છે કે દુઃખ અર્થાત્ જ્વરાદિ રોગ, ઉત્પન્ન થયો જાણીને, તેના અનુભવરૂપ વેદનાથી પીડિત કરાય તે દુઃખાર્તિત, તેવો થાય તો પણ અદીન મનથી, “સ્વકર્મનું જ આ ફળ છે” એ પ્રમાણે તત્ત્વબુદ્ધિથી પોતાની પ્રજ્ઞાને સ્થિર કરે. અથવા પુષ્ટ વ્યાધિ વડે દીનતા લાવ્યા વિના તે રોગોના ઉત્પાતને, રોગ જનિત દુઃખને સહન કરે. તો ચિકિત્સા વડે રોગને ન નિવારે ?
રોગ પ્રતિકારરૂપ ચિકિત્સાને અનુમતિ ન આપે. અનુમતિના નિષેધથી કરણ અને કરાવણનો તો પ્રશ્ન જ નથી. સ્વકર્મ ફળ આ ભોગવાય છે, એમ વિચારીને સમાધિથી રહે, પણ કૂજન કે કચકચ આદિ ન કરે. ચારિત્રઆત્માની માગણા કરે, આ મારું કઈ રીતે થાય? એ પ્રમાણે આત્મ ગવેષણા કરે. તેથી જે કારણે આ શ્રમણનો શ્રમણભાવ છે, તેથી તે ચિકિત્સા ન કરે, ન કરાવે, ઉપલક્ષણવથી ન અનુમોદે. આ કથન જિનકલ્પિકાદિની અપેક્ષાએ છે. વિકલ્પ અપેક્ષાથી “નકુ” ઇત્યાદિ સાવધ જાણવું. અહીં આ ભાવ છે - જે કારણથી કરણ આદિ વડે સાવધ પરિહાર જ શ્રામસ્થ છે. પ્રાયઃ ચિકિત્સા સાવધ છે, તેથી તેની અનુમોદના ન કરવી. આ પણ ઉત્સર્ગ માર્ગે કહ્યું. અપવાદથી સાવધ છતાં પણ આની અનુમતિ છે જ.
આ ભિક્ષા' દ્વાર છે, તેમાં ચિકિત્સાને અનુમોદવી નહીં” આ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિયુક્તિ - ૧૧૫ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો, એમ કહી વૃત્તિકાર કહે છે -
મથુરામાં જિતશત્રુ રાજા વડે કાલા નામની વેશ્યાને પ્રતિરૂપા છે તેમ વિચારી અવરોધીને (અંતઃપુરમાં) નાંખી. તેણીનો પુત્ર કાલવેશિક કુમાર થયો. તેણે તેવા પ્રકારના વિરોની પાસે દીક્ષા લીધે. એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને મુડ્ઝરીલપુર ગયા.
ત્યાં તેની બહેન હતશત્રુ રાજાની સ્ત્રી (સણી) હતી, તે સાધુને અર્શ થયેલ હતા. તેથી તેણીએ ભિક્ષાની સાથે ઔષધ આપ્યું. તેને અધિકરણ જાણી ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું.
તેને કુમારપણામાં શીયાળના શબ્દને સાંભળીને પાછળ લાગેલા. આ શબદ કોનો સંભળાય છે ? તેઓ બોલ્યા - આ શીયાળો અટવીવાસી છે. તેણે કહ્યું - આને For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International