Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * પાંચ હેતુઓના ક્રમનું રહસ્યઃમિથ્યાત્વથી માંડીને યોગ સુધીના પાંચે હેતુઓમાં જયારે પૂર્વ-પૂર્વના બંધ હેતુઓ હોય ત્યારે તેના પછી-પછીના બધાતો હોય જ છે જેમ કે -મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર હોય જ, અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હોયજ, પ્રમાદ હોય ત્યારે કષાયને યોગ હોય એ રીતે સમજી લેવું
પરંતુ જયારે પછીનો હેતુ હોય ત્યારે પૂર્વ-પૂર્વનો હેતુ હોય અથવા ન પણ હોય [૩ત્તરોત્તરમતુ પૂર્વપામ્ યમતિ જેમકે અવિરતિ હોય ત્યારે પહેલા ગુણઠાણેમિથ્યાત્વ હોય પણ બીજા, ત્રીજા,ચોથા ગુણઠાણે મિથ્યાત્વ ન હોય એ જ રીતે પ્રમાદ હોય ત્યારે ૧ થી ૪ ગુણઠાણે અવિરતિ હોય પણ પાંચમા ગુણઠાણે અવિરતિ અને વિરતિ બંને હોય અને છઠ્ઠો ગુણઠાણે અવિરતિનો અભાવ જ થઈ જાય છે. એ રીતે પાંચેકારણોને વિશે સમજી લેવું.
આ જ રહસ્ય બીજી રીતે જણાવીએ તો:-૧ મિથ્યાદર્શન ચોથા ગુણઠાણે ન જ હોય -૨ અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણઠાણે જાય છે -૩ પ્રમાદનો જવાનો ક્રમ સાતમે ગુણઠાણે આવે છે -૪ કષાય બારમા ગુણઠાણે ક્ષય પામે છે -પ ચૌદમાં ગુણસ્થાનકે યોગનું અસ્તિત્વ રહેતુ નથી
આ રીતે એક એક હેતુના અસ્તિત્વ અભાવ ગુણઠાણાના અર્થાત આત્મિક વિકાસના ક્રમ સાથે સંકડાયેલ હોય અહીં પણ તે જ રીતે સૂત્રક્રમ નોંધાયેલ છે.
ગુણઠાણા અને બંધ - આ રીતે એક થી ત્રણ ગુણઠાણે પાંચ કારણો હોય છે - ચોથે ગુણઠાણે મિથ્યાત્વ જતાં ચાર કારણો બાકી રહે છે –પાંચમે કંઈક અવિરતિ હોય છે છ અવિરતિ જતા ત્રણ કારણ રહે. -સાતમે ગુણઠાણે પ્રમાદ જતાં બે કારણો રહે છે. –અગીયારમાં ગુણઠાણે ઉપશમથી, બારમે ક્ષય થી યોગજ રહે છે. -ચૌદમે ગુણઠાણે બંધનું કોઈ કારણ રહેતું જ નથી.
* પ્રશ્નઃ-સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે “અમૂર્તિ આત્માને હાથ વગેરે હોતા નથી તો તે કર્મ વર્ગણાના પુદ્ગલો ને કઈ રીતે ખેંચીને પોતાની સાથે જોડી શકે?
સમાધાનઃ- આ પ્રશ્ન બરાબર નથી કેમ કે કર્મ અને જીવનો સંબંધ અનાદિનો હોવાથી એકત્વ પરિણામ ને લીધે ક્ષીર-નીરની પેઠે કર્મ-આત્મા એક રૂપ બની જાય છે. જેમ તેલ થી ખરડાયેલ શરીરે રજ ચોંટી જાય છે, તેમ મિથ્યાદર્શનાદિ રૂપ અધ્યસાય કે પ્રવૃત્તિના બળથી રાગદ્વેષ થી મલિન થયેલા આત્માને કર્મનો સંબંધ થતા કર્મજ ચોંટી જાય છે.
બીજુંઅહીં બાહ્ય હાથની વાત નથી. કેમ કેહાથ વડેજમઘડાને ગ્રહણ કરવામાં આવે છે તે રીતે કંઈ કર્મોને હાથ વડે પકડવાના નથી પણ ઉપર કહ્યા મુજબ આત્મા અને કર્મનો સંબંધ થાય છે. આ જ પ્રશ્નઃ સૂત્રકારે પ્રસિધ્ધ એવા મિથ્યાત્વ શબ્દને બદલે મિથ્યાદર્શન શબ્દ કેમ મૂકયો? સમધાન - પહેલી વાત તો એ કે આ બંને શબ્દો એકાર્થક છે. અને બીજી વાત એ છે કે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International