Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫
૧૨૯ બંધાતા નથી, પણ અનંત જત્થામાં જ બંધાય છે. તથા એક એક જત્થામાં અનંતા કર્માણુઓ હોય છે આથી એક વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે.
આ ઉત્તરમાં સૂત્રમાં રહેલા અનન્તનત પ્રા: શબ્દ થી મળે છે. 2 अनन्तानन्त प्रदेशाः कर्मग्रहणयोग्या: पुद्गला बध्यन्ते ।
અનતાનત એટલે મનન્ત નો અનન્ત સાથે ગુણાકાર. આ અનંતાનંત પુદ્ગલોને જ કર્યગ્રહણ કહ્યા છે. સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશોને ગ્રહણ યોગ્ય પુદ્ગલો કહ્યા નથી, અર્થાત્ ગ્રહણને માટે તેને અયોગ્ય પુદ્ગલો કહ્યા છે. આ પ્રમાણે બંધનું સ્વરૂપ કહેવાયું છે.
પ્રદેશબંધઃ- જે પુદ્ગલ કમરૂપે આત્માની સાથે બંધ પામે છે તે અવસ્થા વિશેષને પ્રદેશ બંધ કહે છે
$ કર્યગ્રહણને યોગ્ય પુલ પ્રદેશોનો જીવ પ્રદેશોની સાથે જ બંધ થવોતે પ્રદેશબંધ.
આ પ્રદેશ બંધને સૂત્રકારે આઠવિશિષ્ટ શબ્દ થકી રજૂ કર્યો છે, જેઉફત આઠપ્રશ્નોત્તર રૂપે જોયું. જેનો સંક્ષિપ્ત ચિતાર કહીએ તો ?
૧-નામપ્રત્યયઃ-બંધને પ્રાપ્ત થનારકર્મ પુદ્ગલતે નામપ્રત્યય.કર્મરહિત જીવને તેનો બંધ થતો નથી. કર્મ એ જ પ્રદેશબંધ માં કારણ છે .
ર-સર્વત- કર્મ પુદ્ગલ કોઈ એકનિયતદિશામાંથી નથી બંધાતા પણ સર્વદિશાઓમાંથી ગ્રહણ થાય છે
૩- યોગવિશેષાઃ- આબંધનું કારણ યોગની વિશેષતા છે. યોગની વિશેષતા અર્થાત તરતમતા અનુસાર જ પ્રદેશબંધ થાય છે. યોગ રહિત જીવોને બંધ થતો નથી.
૪-સૂક્ષ્મ - આ રીતે બંધ પામનારા બધા પુગલ સૂક્ષ્મ હોય છે પણ બાદર હોતા નથી.
પ-એક ક્ષેત્રાવગાઢ:- આ પુલો ક્ષેત્રાન્તારમાં અવગાહ કરવાવાળા નથી હોતા પણ આત્મા પ્રદેશ અવગાહીત ક્ષેત્ર વાળા હોય છે.
ઇ-સ્થિતિ - આ પુદ્ગલો સ્થિતિશીલ હોય છે. ગતિમાન હોતા નથી.
૭-સર્વ આત્મપ્રદેશેષ પ્રત્યેક કર્મની અનંત પુદ્ગલ વર્ગણા બધાયે આત્મપ્રદેશોમાં બંધાય છે, કોઈ અમુક એક કે ચોક્કસ આત્મપ્રદેશ નહીં.
૮-અનંતાનન્ત પ્રદેશઃ- બંધ પામતી દરેક કાર્મણ વર્ગણા અનંતાનંત પરમાણુઓની જ બનેલી હોય છે, સંખ્યાત-અસંખ્યાત કે અનંતની નહીં.
જ પ્રદેશબંધના સ્વામી કોણઃ
સર્વજ્ઞ સર્વદર્શી શ્રી તીર્થંકર-કેવળી ભગવંતો એ અસંખ્યાત પ્રદેશાત્મક અનંત જ્ઞાનવર્યાદિ ગુણ યુકત અરૂપી એવા આત્મ તત્વના બે ભેદ જણાવેલા છે.
(૧)કેટલાંકજીવો સર્વકર્મનાક્ષય કરીને સિધ્ધપદને પામીનેસિધ્ધશીલા ઉપર અશરીરી રૂપે સાદિ અનંત ભાગે, સિધ્ધ થયેલા છે તે
(૨)બીજા-સમસ્ત સંસારીસશરીરીજીવો, જેઓ પોત પોતાના કર્માનુસારે ચારે ગતિ જન્મ મરણ કરતાં થકાં ભટક્યા કરે છે- તે
આ બીજા ભેદવાળા સમસ્ત જીવો પોત પોતાના આત્મ પ્રદેશો ના કાય-વા મનોયોગના અ. ૮/૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org