Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાટો બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી - જણાતી નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણકર્મરૂપ પાટો આવી જવાથી આત્મા જાણી શકતો નથી તથા જેમ પાટો જાડો તેમ ઓછું દેખાય અને જેમ પાટો પાતળો તેમ વધુ દેખાય છે. એ જ રીતે જ્ઞાનાવરણનું કર્મ આવરણ જેમ જેમ વધુ તેમ તેમ ઓછો બોધ થાય અને જેમ જેમ આ આવરણ ઓછું તેમ-તેમ વધારે બોધ થાય છે. પણ આત્મા કદી સર્વદા જ્ઞાનરહિત બનતો નથી. [૨]દર્શનાવરણ કર્મ જ અર્થ:-દર્શનાવરણ એટલે દર્શન નું આવરણ. તેનું ફળ તે દર્શન અર્થાત સામાન્ય બોધનો અભાવ એટલે કે ઓછપણું હોય તે. ૪ વિપદર્શનાવરણ જીવના દર્શનગુણને આવૃત્ત કરે છે ૪ ૩૫થકી સમજૂતી -દર્શનાવરણ કર્મ પ્રતિહાર એટલે કે દ્વારપાળની સમાન છે. જેમ દ્વારપાળ રાજય સભામાં આવતી વ્યકિતને રોકી રાખે તો તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણ થી જીવ વસ્તુને જોઈ શકતો નથી અર્થાત સામાન્ય બોધ રૂપ જ્ઞાનને કરી શકતો નથી. [૩]વેદનીયકર્મ$ મર્થ:- વેદનીય એટલે સુખ કે દુ:ખનું વેદન કરાવે તે. # વિપઆ કર્મ જીવનો મુખ્ય ગુણ જે પોતાના સ્વગુણ પર્યાયમાં અવ્યાબાધપણે પરિણામ પામી તેનું વેદન કરવાનો છે તેને આવૃત્ત કરીને, આ વેદનીય કર્મ પર પુગલધર્મના- સંયોગ વિયોગનુંવેદન કરાવી સુખ દુઃખ ઉપજાવે છે. * વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે. કેમ કે ચાટતા પ્રથમ સ્વાદ લાગે, પણ પરિણામે જીભ કપાતાં પીડા થાય. તેમ આ વેદનીય કર્મ દુઃખનો અનુભવ કરાવે છે અને તેનાથી થતો સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારો થાય છે. [૪]મોહનીય કર્મ # અર્થ:- મોહનીય એટલે મોહ કે મુંઝવણ, જીવનું આવી મુંઝવણ થકી શ્રધ્ધા અને વિરતિ વેગેરેનું અભાવ કે ઓછાપણું તે મોહનીય. જ વિપ:- મોહ ઉપજાવે છે એટટલે આત્મત્વ અને જડતત્વમાં ભ્રાંતિ ઉપજાવી સ્વપરના વિવેકનું ભાન ભૂલાવી, આત્માને જડત્વના ભોગ-ઉપભોગ તરફ આકર્ષી તેના શુભા શુભ સંયોગ વિયોગમાં રતિ-અરતિ ઉપજાવી રાગ-દ્વેષ કરાવે છે. ૪ ૩૫માં વડે સમજૂતી -મોહનીય કર્મ મદિરાસમાન છે.જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે.હિતાહિત નો વિચાર પણ કરી શકતો નથી. એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેકરહિત બને છે, અને આત્મા માટે હેય શું છે? ઉપાદેય શું છે? ઇત્યાદિવિચાર કરી શકતો નથી. પરિણામે (આત્માનું અહિત કરનારી એવી) અયોગ્ય પ્રવૃત્તિ કરે છે. [૫]આયુષ્ય કર્મ ૪ અર્થ:-પત્તિ અને સત્યન્તરાખિ તિ ગાયુ. | જેને લીધે નરકાદિ ગતિના જીવનની પ્રાપ્તિ થાય તે આયુષ્ક કર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154