Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૮
૪૩ પાંચ ઇન્દ્રિય અને મન થકી થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ છે. પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે અને પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઈન્દ્રિયથી રૂપનું સામાન્ય મતિજ્ઞાનતેચક્ષુદર્શન તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ અચક્ષુદર્શન છે. આ બંનેનું આવરણ થાય છે.
૪ ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયો વડે જે સામાન્ય અવબોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય અને તે સર્વે પ્રાણીઓને થાય છે
૪ આંખ સિવાયની ત્વચા, જીભ,નાક કાન,અને મનથી પદાર્થના સામાન્ય ધર્મનો જે પ્રતિભાસ થાય છે, તેને અચક્ષુદર્શન કહે છે અને તેનું આવરણ કરનાર કર્મને અચક્ષુદર્શના વરણ કહે છે.
૪ ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય,ધ્રાણેન્દ્રિય,શ્રોત્રેન્દ્રિય એ ચાર ઇન્દ્રિય દ્વારા જ્ઞેય પદાર્થનુ જે આઠ સ્પર્શત્મક જ્ઞાન, પાંચ પ્રકારના રસનું જ્ઞાન, બે પ્રકારે ગંધનું જ્ઞાન અને ત્રણ પ્રકારના શબ્દનું જ્ઞાન સામાન્ય બોધ જ્ઞાન તે તેના આવરક જે કર્મને લીધે આત્મા કરી શકતો નથી તેને અચક્દર્શનાવરણીય કર્મના ઉદયનું સ્વરૂપ જાણવું
– તેમાંથી જે જે જીવને જેટલો જેટલો ક્ષયોપશમ પ્રાપ્ત થયેલો હોય છે તે થકી તે જીવ રૂપી [પુદ્ગલ દ્રવ્યોના તથા પ્રકારના ગુણધર્મને જાણી શકે છે.
તેમજ આદર્શનાવરણીય કર્મના તીવ્ર,મંદ વિપાકોદય અનુસાર જીવને ઈન્દ્રિયોની ઓછી-વતી પ્રાપ્તિ થાય છે. તેમજ તે ઇન્દ્રિયોની શકિતમાં પણ તરતમતા પ્રાપ્ત થતી હોય છે.
જ અવધિ દર્શનાવરણઃ
$ ઇન્દ્રિયોની સહાય વિના થતો કેવળ રૂપી પદાર્થોનો સામાન્ય રૂપે બોધ તેં અવધિદર્શન, તેનેઆવરક કર્મ તે અવધિદર્શનાવરણ.
જ અવધિજ્ઞાનની પહેલાથતાં સામાન્ય અવલોકનને જેનથવાદે તે અવધિદર્શનાવરણ.
૪ જેનાથી અવધિજ્ઞાનના ઉપયોગમાં સામાન્ય બોધ થાય છે. એનું નામ અવધિ દર્શન. જે અવધિજ્ઞાનીઓને જ થાય છે અવધિજ્ઞાનનીમાફક વિભંગ જ્ઞાનમાં પણ અવધિદર્શન થાય છે કેમ કે અનાકાર ઉપયોગ પણે બંને જ્ઞાનમાં સામાન્ય છે. આ દર્શનના ઢંકાવાથી અવધિદર્શનાવરણ કર્મ કહેવાય
ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ આત્માને રૂપીદ્રવ્યના સામાન્યધર્મનોબોધ થાય છે તેને અવધિદર્શન કહે છે.અને તેનું આવરણ કરનાર કર્મને અવધિદર્શનાવરણ કહેવાય છે.
3 જીવોને સ્વયં આત્મપ્રત્યક્ષ ભાવથી સકળ શેયને જોવાનો સ્વભાવ હોવા છતાં તે જ્ઞાનાવરણ-દર્શનાવરણથી જેટલો અવરાયેલો હોય છે તે થકી તે આત્માની પૂર્વે પણ જે અવધિદર્શનના ઉપયોગ વડે તે જીવને તે પદાર્થનું સામાન્ય જ્ઞાન થાય છે એ સામાન્ય જ્ઞાન થવામાં જે અવરોધક કર્મ તેને અવધિદર્શનાવરણીય કર્મ જાણવું.
જે કેવળદર્શનઃ
૪ રૂપી અરૂપી સર્વવસ્તુઓનો સામાન્ય રૂપે બોધ તે કેવલદર્શન. તેને આવરક કર્મ તે કેવળદર્શનાવરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org