Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 116
________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૨૨ ૧૧૫ • સૂત્રનો સંકલિત અર્થ ભિન્ન રીતેઃ ૪ કર્મોનું પાકવું તે અનુભાવ. પાકવા વખતે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને કર્મો પોતાનો પાક- ફળ કેવા બતાવશે? જે મુજબનો બંધકાળે જે નિર્ણય થવો તેનું નામ અનુભાવ બંધ છે. એટલે કે ઉદય વખતે કર્મો શું અને કેવું તીવ્ર-તીવ્રતર,મંદ-મંદતર ફળ બતાવે તે અનુભાવ, અને તે જાતનો બંધકાળે નિર્ણય તે અનુભાવ બંધ. ૪ જે-જે કર્મ જે-જે જીવે બાંધેલું હોય છે. તે કર્મ તે જીવને અવશ્ય ભોગવવું પડે છે. વિવિધ કર્મોને ભોગવવાનાં સ્વરૂપને તે તે કર્મોનો વિપાકોદય જાણવો. $ વિવિધ પ્રકારે કર્મોનું ઉદયમાં આવવું તેને અનુમાવ કહે છે. આમ્રવની વિશેષતા હોય છે એજ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવના નિમિત્તથી પણ વિપાકમાં વૈવિધ્ય હોય છે શુભ પરિણામના પ્રકર્ષ વખતે શુભ પ્રવૃત્તિમાં અધિક અને અશુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ [-રસ પડે છે. અને અશુભ પરિણામનો પ્રકર્ષહોય ત્યારે અશુભ પ્રવૃત્તિમાં અધિક અને શુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ બંધ થાય છે. * જીવે બાંધેલા કર્મોમાં પરિવર્તન કઈ રીતે? જીવ કોઇ પણ કર્મ બાંધે ત્યાર પછી એક આવલિકા કાળ ગયા પછી.... [આવલિકા કાળઃ- એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર,બસો સોળ - ૧,૬૭, ૭૭,૨૧૬ એટલી આવલિકા એક અંતર્મુહૂર્ત માં થાય અથવા તો અસંખ્ય સમયની એક આવલિકા થાય] જીવ પોતાના શુભાશુભ અધ્યવસાય કરણ વિશેષથી નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારના ફેરફારો કરે છે [૧]બંધનકરણ - કર્મનો બંધ થયા પછી, તેના ચાર પ્રકારના બંધન-સ્કૃષ્ટ,બધ્ધ, નિધ્ધત,નિકાચ-સંબંધ માં જે પ્રથમ કરણ કરે છે તે બંધન કરણ. [૨]ગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી તેને નિસ્બત કરણથી ગાઢ બંધન રૂપ કરવું તે ગાઢ અથવા ઘનીષ્ઠ બંધ. [૩]તીવ્રગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી નિકાચીત કરવાથી અર્થાત નિકાચના કરણથી તેને ગાઢ બંધન રૂપ કરે છે. [૪]સંક્રમણ કરણઃ- કર્મનો બંધ કર્યા પછી તેને સંક્રમણ કરણ થી મૂળ કર્મ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિઓનું પરસ્પર સંક્રમણ થાય છે. આ સંક્રમણ કરણ વિશે આ પૂર્વે “ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ” નામના મુદ્દા હેઠળ વિસ્તૃત વિવેચન આ અભિનવટીકામાં જ કરવામાં આવેલ છે. [૫] ઉદ્વર્તના કરણ - જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે વધારો કરે છે તેનું નામ ઉદ્વર્તના કરણ. []અપવર્તન કરણઃ- જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે ઘટાડો કરે છે તેનું નામ અપવર્તન કરણ [9]ઉદીરણા -જીવ પૂર્વે બાંધેલા કર્મોનો ઉદયકાળથયા પહેલા અર્થાત ઉદયવલિકામાં પ્રવેશ થયા પહેલાં, ઉદયાવલિકામાં ખેંચી લાવીને અર્થાત્ ઉદીરણા કરીને ભોગવવા યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154