Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[૧૦]સ્પર્શનામકર્મ:
શીત આદિ આઠ સ્પશીનું નિયામક કર્મ તે સ્પર્શનામકર્મ.
જે કર્મના ઉદય થી શરીરમાં કોમળ,રૂક્ષ આદિ સ્પર્શ હોય છે તેને સ્પર્શનામ કહે છે. તેના આઠ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યા છે.
औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् कठिनादिः स्पर्शविशेष: समुपजायते तत् स्पर्शनामषृिविधम् । [૧૧]રસનામકર્મ:
શરીરગત તિકત આદિ પાંચ રસો નું નિયામક કર્મ તે રસ નામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદય થી શરીરમાં ખાટા, મીઠા આદિ રસોની ઉત્પત્તિ થાય છે તેને
રસનામકર્મ કહે છે.
औदारिकादिषु शरीरेषु यस्य कर्मण उदयात् तिक्तआदि रस विशेष: समुपजायते तत् रसनामानेकविधम् ।
ૐ આ રસનામકર્મ ના કર્મગ્રન્થાનુસાર પાંચ ભેદ છે જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં અનેકવિધ ભેદો કહ્યા છે [૧૨]ગન્ધ નામકર્મ:
શરીરગત સુરભિ આદિ બે ગંધોનું નિયામક કર્મ તે ગંધ નામકર્મ કહેવાય છે જે કર્મના ઉદય થી શરીરની સારી અથવા નરસી ગંધ હોય તેને ગંધ નામકર્મ કહે છે જેના કર્મગ્રન્થમાં બે ભેદ કહ્યા છે પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં અને વિધ ભેદ હોવાનું કથન કરે છે. औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् सुरभि - दुरभि आदि गन्ध विशेष: समुपजायते तत् गन्धनामानेकविधम् । [૧૩]વર્ણનામકર્મ:
શરીરગત આદિ શ્વેત આદિ પાંચ વર્ણોનું નિયામક કર્મ તે વર્ણનામકર્મ. જે કર્મના ઉદય થી શરીરમાં કાળો,ધોળો આદિ જે રંગ હોય છે તેને વર્ણ નામકર્મ કહે છે. કર્મગ્રન્થમાં તેના પાંચ ભેદ કહ્યા છે જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેના અનેક વિધ ભેદ કહ્યા છે. औदारिकादि शरीरेषु यस्य कर्मण उदयात् कृष्णादिपंचवर्णनिष्पत्तिर्भवति तद् वर्णनाम- तस्य अनेकविधत्वमपि प्रतिपादितम् - [૧૪]આનુપૂર્વી નામકર્મ:
વિગ્રહ વડે જન્માંતરમાં જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરાવનાર કર્મ તે આનુપૂર્વી નામકર્મ
જે કર્મના ઉદય થી જીવ વિગ્રહ ગતિએ પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે, તેને આનુપૂર્વી નામકર્મ કહ્યું છે આ કર્મ ને માટે નાથ [નાસા રજજુ] નું દૃષ્ટાન્ત આપેલું છે. જેમ જયાં ત્યાં ભટકતા બળદને નાથ દ્વારા જયાં પહોંચાડવા ઇચ્છે ત્યાં પહોંચાડી શકે છે, તેવી જ રીતે જીવ જયારે સમશ્રેણીથી જવા માંડે ત્યારે આનુપૂર્વી નામ કર્મ તેને તે શ્રેણીથી પતિત કરી જયાં ઉત્પન્ન થવાનું છે ત્યાં અર્થાત્ તે સ્થાને પહોંચાડી દે છે. જો કે આ આનુપૂર્વી નામકર્મ નો ઉદય વક્રગતિ માં જ હોય છે ઋજુગતિમાં હોતોનથી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org