Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
وا
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા જ પ્રકૃત્તિની અનેકવિધતા - કર્મગ્રન્થમાં ૧૪ પિંડ પ્રકૃત્તિના ૧૪-૩૯-૬૫–૭૫ એ રીતે ચાર ભેદો વિકલ્પ કહ્યા છે. (૧)જો ગતિ-જાતિ મૂળ ભેદજ સ્વીકારવામાં આવે તો ૧૪ ભેદ થાય.
(૨) જો બંધન અને સંઘાતન નામ કર્મ નો શરીર નામ કર્મ માં સમાવેશ કરી દેઅને વર્ણાદિ ચતુષ્ક મૂળ ચારભેદે જ સ્વીકારેતો પિંડ પ્રકૃત્તિના ૩૯ ભેદથાય. તે આ રીતે ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, સંઘયણ-૬, સંસ્થાન-5, વર્ણ-૧, ગંધ-૧, સ્પર્શ૧. આનુપૂર્વી-૪ અને વિહાયોગતિ-ર મળીને કુલ-૩ ભેદો થાય છે.
(૩)જો તેના ૫ ભેદ સ્વીકારીએ તો ઉકત ૩૯ ભેદી+સંઘાત નામ કર્મના ૫ -ભેદ, બંધન નામ કર્મના-પભેદ, વર્ણાદિ ચતુષ્ક પ્રકૃત્તિના [૨૦ભેદ જેમાંથી મૂળ ૪ ભેદ બાદ કરતા ૧૬ ભેદ એ રીતે કુલ ૬૫ ભેદ થશે.
(૪)જો તેના ૭૫ ભેદ સ્વીકારીએ તો ઉકત ૫+૧૦ભેદ બંધનનામ કર્મના વધારાના ગણતા અર્થાત બંધન નામ કર્મના ૧૫ ભેદ કુલ ગણતા ૭૫ ભેદો થશે.
તત્વાર્થસૂત્રમાં આવો અંક નિર્ધારિત થઈ શકે નહીં કારણ કે (૧)તત્વાર્થસૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં બંધન અને સંઘાતન એ બે નામ કર્મના પેટા ભેદો નોંધેલ નથી
(૨)જાતિ,અંગોપાંગ, રસ,ગબ્ધ,વર્ણ એ પાંચને માટે તો સૂત્રકારે ભાષ્યમાં અનેકવિધ ભેદો હોવાનો ઉલ્લેખ કર્યો છે
નામ કર્મના ૪૨૬૭-૯૩-૧૦૩ અનેક વિધ ભેદો ૪ તત્વાર્થસૂત્રનુસાર તો અનેક વિધ ભેદો હોવાનું કથન કર્યુ જ છે. ૪ ૪૨ વગેરે ચારે ભેદો કર્મગ્રન્થ પધ્ધતિએ આ રીતે - નામ કર્મની પ્રકૃત્તિને કર્મગ્રન્થકાર ચાર વિભાગમાં વિભાજીત કરી દે છે તે આ પ્રમાણે (૧)પ્રત્યેક પ્રકૃત્તિ જેના આઠ ભેદ કહ્યા છે. પણ પેટાભેદ નથી. (૨)ત્રસ દશક એટલે ત્રસાદિ દશ પ્રકૃત્તિ-પણ પેટાભેદનથી. (૩)સ્થાવર દશક એટલે સ્થાવર આદિ દશ પ્રવૃત્તિ પણ પેટાભેદ નથી. (૪)પિંડ પ્રકૃત્તિ એટલે ગતિ જાતિ આદિ ૧૪ જેના પેટાભેદો છે.
આ રીતે પ્રથમ ત્રણ ભેદો સ્થિર છે જેનો સરવાળો ૨૮ પ્રકૃત્તિ છે જયારેપિડપ્રકૃત્તિના પેટાભેદો ઉપર કહ્યા મુજબ ૧૪-૩૯-૬૫–૭૫ છેતેથી
કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૧૪ ભેદ =૪૨ ભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૩૯ ભેદ =૬૭ કુલભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૬૫ ભેદ =૯૩ કુલભેદ કુલ ૨૮ પ્રકૃત્તિ + પિંડ પ્રકૃત્તિ ૭૫ ભેદ =૧૦૩ કુલભેદ
* બંધ-ઉદય-ઉદીરણા સત્તાની દ્રષ્ટિએ નામ કર્મ નિરૂપણાઃતત્વાર્થસૂત્ર - માંતો બંધ-ઉદય-ઉદીરણા સત્તા જેવા ભેદો ની વિવલા કવિવરણ કર્યા નથી.
કર્મગ્રન્થ-ગાથા-૩૨ માં ઉદયાદિ પ્રકૃત્તિના ભેદ કહ્યા છે તે મુજબ નામ કર્મની બંધ, ઉદય અને ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૭ છે જયારે સત્તાગત પ્રકૃત્તિ-૯૩ અથવા ૧૦૩ કહી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org