Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સમ્યક્દર્શનઃ- (૧)તત્ત્વભૂત જીવાદિ પદાર્થો વિશે શ્રધ્ધ
(૨)દર્શન મોહનીયના ક્ષય કે ઉપશમ થકી ઉત્પન્ન થયેલી જીવ-અજીવ વગેરે તત્ત્વોની શ્રધ્ધા તે સમ્યક્ દર્શન.
(૩)જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતી થાય, જેના વડે છોડી દેવા યોગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યક્ દર્શન કહ્યું છે. જ્ઞાનઃ- (૧)જેના વડે જણાય તે જ્ઞાન (૨)અવબોધ
સમ્યજ્ઞાનઃ- (૧)જીવ-અજીવ વગેરે પદાર્થોનો યથાર્થ અવબોધ.
(૨)પ્રમાણ અને નય થકી જીવાદિ તત્ત્વોનો સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી રહિત બોધ તે સમ્યક્ જ્ઞાન.
ચારિત્રઃ- વર્તન અથવા આચરણ.
સમ્યક્ ચારિત્રઃ- (૧)નિજ સ્વરૂપે સ્થિરતા
(૨)યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી એટલે કે રાગ-દ્વેષાદિ ભાવ અને મન-વચનકાયાના યોગથી નિવૃત્તિ તથા સક્રિયાની પ્રવૃત્તિ તે સમ્યક્ચારિત્ર
મોક્ષઃ- (૧)જ્ઞાન અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા
(૨)સંચિત થયેલા અને થતા કર્મોને સર્વથા ક્ષય કરવો.
* મોક્ષ શબ્દ થકી સઘળાં કર્મોનો સર્વથા કે આત્યન્તિક ઉચ્છેદ સમજવાનો છે. મોક્ષ શબ્દ મેક્ષ અમને ધાતુ પરથી બનેલો છે. અને મેક્ષળ મેસ: એ રીતે ક્રિયા પ્રધાન ભાવ સાધન છે.
માર્ગઃ- સાધન અથવા પથ.
માર્ગશબ્દ પ્રસિધ્ધ પથ-રસ્તો કે માર્ગના જેવો છે. જેમ કાંકરા રહિત માર્ગમાં યાત્રી સુખ પૂર્વક પોતાના જવાના સ્થળે પહોંચે છે તે રીતે મિથ્યા દર્શન વગેરે કંટક રહિત સમ્યક્ દર્શનાદિ માર્ગથી મોક્ષ નગર સુધી સુખેથી પહોંચી શકાય છે.
માર્ગ શબ્દ માન્ અન્વેષળે એ પ્રમાણે વ્રુતિ ગણની ધાતુ લઇ એ તો ‘‘શોધવું’’ એવો અર્થ થાય. આ ધાતુને ધન્ પ્રત્યય લાગીને માર્યાં શબ્દ બન્યો. જેનાથી અભીષ્ટ પ્રદેશનું અન્વેષણ કે શોધન એવો અર્થ થશે. એ અભિષ્ટ પ્રદેશ તે ‘‘સ્વરૂપ પ્રાપ્તિ કે મોક્ષ.’’
જો માń શબ્દથી મૃન શુ એવો અદ્ ગણ લઇએ તો મૃત્ ધાતુને ધન્ પ્રત્યય લાગી બનેલા મા શબ્દનો શુધ્ધિ કરવી, અર્થ પરથી શુધ્ધ એવો અર્થ થશે. શુધ્ધ એટલે કાટાકાકરા રહિત સમજવો.
જેમ આવો નિષ્કંટક માર્ગ નગર-ગામ-ઉપવનાદિમાં પહોંચવામાં અભિષ્ટ છે. તે રીતે મિથ્યાદર્શન-કુજ્ઞાન-અચારિત્ર વગેરે દોષો રહિત રત્નત્રય રૂપ મોક્ષમાર્ગે મુમુક્ષુ જીવ મોક્ષે પહોંચી શકે છે. જૈ મોક્ષમાર્ગઃ- આત્માની સર્વથા શુધ્ધિનો પથ અથવા આત્માશુધ્ધિ કે સ્વ-રૂપ દર્શન માટેના સાધનો તે મોક્ષમાર્ગ,
* સૂત્રકાર મહર્ષિ એ પૂર્વપદ સમ્યક્ દર્શન જ્ઞાન ચરિત્રખિ વિશેષણરૂપ વાકય માં બહુવચન મૂકેલ છે અને વિશેષ્ય રૂપ એવા ઉત્તર પદમાં મોક્ષ માર્તં: વાક્ય એકવચનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org