Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ પ્રથમ અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૩પસૂત્રો છે. જેની શરૂઆત મોક્ષમાર્ગના પ્રતિપાદનથી કરાઇ છે. કેમ કે આ શાસ્ત્રોનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ છે. જગતના તમામ જીવો સુખના અર્થી છે. તે સુખ માટે પ્રયત્નશીલ રહે છે. જો આ સુખ પરપુગલને આશ્રયી હશે તો તેનાશવંત જ રહેવાનું. જો તે સ્વઆશ્રયી હશે તો તે કાયમીત્વનું રૂપ ધારણ કરી શકશે. “કાયમી સુખ એ જ મોક્ષ''. મોલ વિશેની માન્યતા લગભગ બધાંજ દાર્શનિકો કે આસ્તિકો ધરાવે છે. પણ મોક્ષ પ્રાપ્તિના યોગ્ય માર્ગની જાણકારીને અભાવે જીવો ભટકયા કરે છે. તેથી પૂજયપાદ ઉમાસ્વાતિજી મહારાજા પ્રથમ સૂત્ર થકી સીધો મોક્ષ માર્ગ જ દર્શાવે છે. દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણ સુંદર સાધનો થકી મોક્ષનું સાધ્ય દર્શાવ્યું આ સાધનો પણ કેવા સુચારુ, ગોઠવ્યા કે જીવને આ સાધનો જ અંતે નિજ ગુણ પ્રગટતા સાધ્ય બની જશે. જૈન પરિભાષામાં દર્શન-જ્ઞાન-ચારિત્રનેરયત્રી કહેલ છે. વળી અન્ય સ્થાનેરાન ક્રિય-ગ્રામ્ મેં. પણ કહ્યું છે. તેનું કારણ એ છે કે દર્શન-જ્ઞાન જયારે સા હેય છે ત્યારે તેની ઉત્પત્તિસ્વામિત્વ વગેરેમાં વિપુલ સમાનતા હોવાથી એક જેવા ગણી દર્શન અને જ્ઞાનને માત્ર જ્ઞાન શબ્દથીઅભિવ્યકત કર્યા છે. જયારે ક્રિય અને વારિત્ર ને પર્યાયવાચી જેવા ગણેલ છે. સૂત્રકાર મહર્ષિ રત્નત્રયને આધારભૂત ગણી મોક્ષમાર્ગને જણાવે છે. ચારિત્રની ઇમારતનો આધાર સમ્યગ્દર્શન-જ્ઞાન ઉપર હોવાથી સૂત્રકારે પ્રથમ દર્શનશાન દ્રયોનો આધારસ્તંભ લીધો છે. તેથી આ અધ્યાયમુખ્યત્વેનસાન ત્રયી ને સ્પર્શે છે. તેની વિશદ્ અને યોગ્ય સમજ પ્રાપ્ત થયા પછી વારિત્રની વાત પછીના અધ્યાયોમાં કરી છે. આથી પ્રથમ સૂત્ર-સમગ્ર શાસ્ત્રની આધારશીલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 174