________________
ખુશીથી આપીને આ આવૃત્તિને વિશેષ સમૃદ્ધ બનાવવા દેવા માટે પંડિતજીને આ સ્થળે આભાર માનું છું. પહેલી આવૃત્તિ વખતે જે મુદ્રણદોષ રહી ગયા હતા, તે આ વખતે સુધારી લીધા છે, એ કહેવાની જરૂર નથી.
પરંતુ આ આવૃત્તિની વિશેષતાનું કારણ જુદું જ છે. તત્ત્વાર્થસૂત્રની હિંદી આવૃત્તિમાં પંડિતજીએ બે મુખ્ય અને આવશ્યક ઉમેરા કરાવ્યા છે. એક તે “તવાર્થસૂત્ર'નાં સૂત્રોને પાઠ અન્ય પાઠાંતરે સાથે અલગ તારવી આપે છે તે; અને બીજે, પુસ્તકને અંતે પારિભાષિક શબ્દોની વિસ્તૃત સૂચિ જોડી છે, તે. એ સૂચિને કારણે એ ગ્રંથ જૈન દર્શન અને આચારના સંદર્ભઠેષ જેવો બની ગયો છે. તે બંને ઉમેરા આ બીજી આવૃત્તિમાં કરી લીધા છે. એટલે પહેલી આવૃત્તિ જેની પાસે છે, તેને પણ આ બીજી આવૃત્તિ સંઘરવી ઉપયોગી થઈ પડશે એવું માનવું છે. '
ધાર્યા કરતાં ઓછા વખતમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ ખલાસ થઈ જતાં, આ ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની થાય છે. જૈન શાસ્ત્રના અભ્યાસીવર્ગમાં પંડિત સુખલાલજીની આ સફળ કૃતિ કેટલી ઉપયોગી તથા લોકપ્રિય થઈ પડી છે, તેને એ પુરાવો છે.
આ આવૃત્તિ વખતે, મળેલી તકને લાભ લઈ, જે એકબે સ્થળેએ સામાન્ય અભ્યાસીની દૃષ્ટિએ કંઈક વિશેષ વિવરણ આપવાની જરૂર જેવું લાગ્યું, તે સ્થળે પંડિતજી સમક્ષ રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org