________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધૂવાનુપ્રેક્ષા]
[૭ અર્થ - આ જગતમાં ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રધનુષ અને વિજળીના ચમકાર જેવા ચંચળ છે; પ્રથમ દેખાય પછી તુરત જ વિલય પામી જાય છે. વળી તેવી જ રીતે ભલા ચાકરોનો સમૂહું અને સારા ઘોડા-હાથી-રથ છે તે સર્વ વસ્તુ પણ એ જ પ્રમાણે છે.
ભાવાર્થ:- આ જીવ, સારા સારા ઇન્દ્રિયવિષયો અને ઉત્તમ નોકર, ઘોડા, હાથી અને રથાદિકની પ્રાપ્તિથી સુખ માને છે પરંતુ એ સર્વ ક્ષણભંગુર છે. માટે અવિનાશી સુખનો ઉપાય કરવો જ યોગ્ય છે. - હવે બંધુજનોનો સંયોગ કેવો છે તે દષ્ટાંતપૂર્વક કહે છે:पंथे पहियजणाणं जह संजोओ हवेइ खणमित्तं। बंधुजणाणं च तहा संजोओ अद्धुओ होइ।।८।। पथि पथिकजनानां यथा संयोगो भवति क्षणमात्रम्। बन्धुजनानां च तथा संयोगः अध्रुवः भवति।।८।।
અર્થ - જેમ પંથમાં પથિકજનોનો સંયોગ ક્ષણમાત્ર છે, તે જ પ્રમાણે સંસારમાં બંધુજનોનો સંયોગ પણ અસ્થિર છે.
ભાવાર્થ- આ જીવ, બહોળો કુટુંબ-પરિવાર પામતાં અભિમાનથી તેમાં સુખ માને છે અને એ મદ વડે પોતાના સ્વરૂપને ભૂલે છે, પણ એ બંધુવર્ણાદિનો સંયોગ માર્ગના પથિકન જેવો જ છે, થોડા જ સમયમાં વિખરાઈ જાય છે. માટે એમાં જ સંતુષ્ટ થઈને સ્વરૂપને ન ભૂલવું.
હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છે:अइलालिओ वि देहो ण्हाणसुयंधेहिं विविहभक्खेहिं। खणमित्तेण वि विहडइ जलभरिओ आमघडओ व्व।।९।।
अतिलालितः अपि देहः स्नानसुगन्धैः विविधभक्ष्यैः। क्षणमात्रेण अपि विघटते जलभृतः आमघट: इव।।९।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com