________________
૮૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા સંજ્ઞીપંચેન્દ્રિયની છે એ પ્રમાણે કમથી પર્યાતિ હોય છે; વળી લધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યામિ નથી.
ભાવાર્થ- એકેન્દ્રિયાદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાસિ કહી. અહીં અસંજ્ઞીનું નામ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છે તથા અસંશીને પાંચ પર્યાતિ જાણવી. વળી નિવૃત્પર્યાય ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લધ્યપર્યાય જોકે ગ્રહણ કરી છે તોપણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ સૂચવે છે. એ પ્રમાણે પર્યાતિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણનું સ્વરૂપ અને સંખ્યા કહે છે:मणवयणकायइंदियणिस्सासुस्सासआउ-उदयाणं। जेसिं जोए जम्मदि मरदि विओगम्मि ते वि दह पाणा।।१३९ ।। मनोवचनकायेन्द्रियनिःश्वासोच्छ्वासायुरुदयानाम्। येषां योगे जायते म्रियते वियोगे ते अपि दश प्राणाः।। १३९ ।।
અર્થ:- મન, વચન, કાય, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુનો ઉદય એના સંયોગથી તો ઊપજે- જીવે તથા એના વિયોગથી મરે તેને પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થ- “જીવ' એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને જીવ' સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છે:एयक्खे चदु पाणा बितिचउरिदिय-असण्णि- सण्णीणं। छह सत्त अट्ठ णवयं दह पुण्णाणं कमे पाणा।।१४०।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com