________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા तिविहेण जो विवजुदि चेयणमियरं च सव्वहा संग। लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स।। ४०२।। त्रिविधेन यः वर्जयति चेतनं इतरं च सर्वथा सङ्गम्। लोकव्यवहारविरत: निर्ग्रन्थत्वं भवेत् तस्य।। ४०२।।
અર્થ - જે મુનિ મનવચનકાય-કૃતકારિતઅનુમોદના પૂર્વક સર્વ ચેતન- અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે-કેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છે તે મુનિને નિગ્રંથપણું હોય છે.
ભાવાર્થ- મુનિ અન્ય પરિગ્રહ તો છોડ જ છે પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તકપીંછી-કમંડલ-આદિ ધર્મોપકરણ અને આહાર-વસતિકા-દેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે “હું તો એક આત્મા જ છું અને મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું –એવું નિર્મમત્વ થાય તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છે:जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं। कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स।। ४०३।। यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम्। कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य।। ४०३।।
અર્થ:- જે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન નીરખે, કામની કથા તથા “આદિ' શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય, એ પ્રમાણે મન-વચન- કાય, કૃત-કારિત, અનુમોદના એમ નવ પ્રકારથી તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com