________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતા છે.
जो पुण कित्तिणिमित्तं मायाए मिट्ठभिक्खलाहटुं। अप्पं भुंजदि भोजं तस्स तवं णिप्फलं बिदियं ।। ४४४।। यः पुनः कीर्तिनिमित्तं मायया मिष्टभिक्षालाभार्थम्। अल्पं भुंक्ते भोज्यं तस्य तपः निष्फलं द्वितीयम्।। ४४४ ।।
અર્થ:- જે મુનિ કીર્તિને માટે વા માયા-કપટ કરી વા મિષ્ટ ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે તેનું આ બીજું અવમોદર્યતા નિષ્ફળ છે.
ભાવાર્થ- જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રસંશા થશે, તથા કપટથી લોકને ભૂલાવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિસ્ટરસ સહિત ભોજન મળશે એવા અભિપ્રાયથી ઊણોદરપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ નથી પણ પાખંડ છે.
હવે વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે:एगादिगिहपमाणं किच्चा संकप्पकप्पियं विरसं। भोजं पसु व्व भुंजदि वित्तिपमाणं तवो तस्स।।४४५।। एकादिगृहप्रमाणं कृत्वा संकल्पकल्पितं विरसम्। भोज्यं पशुवत् भुंक्ते वृत्तिप्रमाणं तपः तस्य।। ४४५।।
અર્થ:- મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે કે-આજ એક ઘરે વા બે ઘરે વા ત્રણ ઘરે જ આહાર મળી જાય તો લેવો, નહિ તો પાછા ફરવું. વળી એક રસની, આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ-નીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com