________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
जो जुद्धकामसत्थं रायदोसेहिं परिणदो पढइ । लोयावंचणहेदुं सज्झाओ णिप्फलो तस्स ।। ४६४ ।।
यः युद्धकामशास्त्रं रागद्वेषाभ्यां परिणतः पठति । लोकवञ्चनहेतुं स्वाध्यायः निष्फलं तस्य ।। ४६४।।
અર્થ:- જે પુરુષ યુદ્ધનાં તથા કામકથાનાં શાસ્ત્ર રાગદ્વેષ પરિણામપૂર્વક લોકોને ઠગવા માટે ભણે છે તેનો સ્વાધ્યાય નિષ્ફળ છે.
ભાવાર્થ:- જે પુરુષ યુદ્ધનાં, કામકુતૂહલનાં, મંત્રજ્યોતિષ-વૈદક આદિનાં લૌકિકશાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? અહીં કોઈ પ્રશ્ન કરે કે-મુનિ અને પંડિતપુરુષો તો બધાંય શાસ્ત્રો ભણે છે; જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તેનું સમાધાન-અહીં રાગદ્વેષથી પોતાના વિષય-આજીવિકાદિક પોષવા માટે, લોકોને ઠગવા માટે, જે ભણે છે તેનો નિષેધ છે પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક (પારમાર્થિક) પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય-પાપનો વિશેષ નિર્ણય કરવા માટે, સ્વ-૫૨મતની ચર્ચા જાણવા માટે અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી અર્થાત્ ‘જૈનમતમાં આવા પંડિત છે' ઇત્યાદિ પ્રયોજન માટે, એવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે.
जो अप्पाणं जाणदि असुइसरीरादु तच्चदो भिण्णं । जाणगरूवसरूवं सो सत्थं નાખવે સર્વાં।।૪૬૬।। यः आत्मानं जानाति अशुचिशरीरात् तत्त्वतः भिन्नम् । ज्ञायकरूपस्वरूपं स: शास्त्रं जानाति सर्वम् ।। ४६५ ।। અર્થ:- જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com