Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 329
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- જ્યારે ઘાતિકર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેમાં ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગવચનયોગ રોકાઈ જાય છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે ત્યારે તેને શુક્લધ્યાનનો (સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો ) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન ઊપસ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છેકાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી તેથી તેને સદાય ધ્યાન જ છે-પોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત શેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે. હવે ભુપતક્રિયાનિવૃત્તિ નામનું ચોથુ શુક્લધ્યાન કહે છે - जोगविणासं किच्चा कम्मचउक्कस्स खवणकरणहूँ। जं झायदि अजोगिजिणो णिक्किरियं तं चउत्थं च।। ४८७।। योगविनाशं कृत्वा कर्मचतुष्कस्य क्षपणकरणार्थम्। यत् ध्यायति अयोगिजिनः निष्कियं तत् चतुर्थं च।। ४८७।। અર્થ:- યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન અયોગીજિન થાય છે ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે સુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુકલધ્યાન છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345