Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 322
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશત૫] [ ૨૯૫ ધર્મમાં ચિત્ત થંભતું નથી. सुविसुद्धरायदोसो बाहिरसंकप्पवजिओ धीरो। एयग्गमणो संतो जं चिंतइ तं पि सुहज्झाणं।। ४८०।। सुविशुद्धरागद्वेषः बाह्यसंकल्पवर्जितः धीरः। एकाग्रमनाः सन् यत् चिन्तयति तदपि शुभध्यानम्।।४८०।। અર્થ- જે પુરુષ રાગદ્વેષરહિત થઈ, બાહ્યસંકલ્પોથી છૂટી, ધીરચિત્તથી એકાગમનવાળો થઈ જે ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન ભાવાર્થ- જે રાગદ્વેષમયી પરવસ્તુ સંબંધી સંકલ્પ છોડીકોઈનો ચલાવ્યો પણ ન ચળે એવો એકાગ્રચિત્ત બની ચિંતવન કરે છે તે પણ શુભધ્યાન છે. ससरूवसमुब्भासो णट्ठममत्तो जिदिदिओ संतो। अप्पाणं चिंतंतो सुहझाणरओ हवे साहू।। ४८१ ।। स्वस्वरूपसमुद्भासः नष्टममत्वः जितेन्द्रियः सन्। आत्मानं चिन्तयन् शुभध्यानरत: भवेत् साधुः।। ४८१।। અર્થ:- જે સાધુ, પોતાના સ્વસ્વરૂપનો સમુભાસ એટલે પ્રગટતા થઈ છે જેને એવો થયો થકો, પરદ્રવ્યમાં નષ્ટ થયું છે મમત્વ જેને એવો બનીને, જીત્યા છે ઇન્દ્રિયવિષય જેણે એવો થઈ એક આત્માનું ચિંતવન કરતો થકો પ્રવર્તે છે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. ભાવાર્થ- જેને પોતાના સ્વસ્વરૂપનો પ્રતિભાસ થયો હોય, જે પરદ્રવ્યમાં મમત્વ ન કરતો હોય, અને ઇન્દ્રિયોને વશ કરે, એ પ્રમાણે જે આત્માનું ચિંતવન કરે તે સાધુ શુભ ધ્યાનમાં લીન હોય છે. બીજાને શુભ ધ્યાન હોતું નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345