________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ર૬૫ વિના ધાન્યની ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
ભાવાર્થ- જેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃजो धम्मत्थो जीवो सो रिउवग्गे वि कुणदि खमभावं। ता परदव्वं वज्जुइ जणणिसमं गणइ परदारं।। ४२९ ।। ૫: ધર્મસ્થ: નીવ: 8: રિપુવ : જોતિ ક્ષમાભાવના तावत् परद्रव्यं वर्जयति जननीसमं गणयति परदारान्।। ४२९ ।।
અર્થ- જે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છે–અંગીકાર કરતો નથી તથા પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
ता सव्वत्थ वि कित्ती ता सव्वत्थ वि हवेइ वीसासो। ता सव्वं पिय भासइ ता सुद्धं माणसं कुणइ।। ४३०।। तावत् सर्वत्र अपि कीर्तिः तावत् सर्वत्र अपि भवति विश्वासः। तावत् सर्वं प्रियं भाषते तावत् शुद्धं मानसं करोति।।४३०।।
અર્થ- જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ (પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધ-ઉજ્જવળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી નથી તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકામાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહભ્ય કહે છે:उत्तमधम्मेण जुदो होदि तिरिक्खो वि उत्तमो देवो। चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि।। ४३१ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com