Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 290
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા] . [ ૨૬૩ नि:शंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे। जानीहि जिनमतात् सम्यक्त्वविशोधका: एते।।४२५ ।। અર્થ- જેમ આ નિ:શંક્તિાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય-પંચાસ્તિકાયસાતતત્ત્વ-નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચનસિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યકત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે. ભાવાર્થ- દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ના લાવવી, તેમાં મૂઢદષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાભ્ય પ્રગટ કરવું-એ આઠ ગુણ તેમાં (દેવ-ગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠ ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યકત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું. હવે “આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે' એમ કહે છે:धम्म ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्टेण। काउ तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो।। ४२६ ।। धर्मं न जानाति जीव: अथवा जानाति कथमपि कष्टेन। कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः।। ४२६ ।। અર્થ- આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345