________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા] .
[ ૨૬૩ नि:शंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे। जानीहि जिनमतात् सम्यक्त्वविशोधका: एते।।४२५ ।।
અર્થ- જેમ આ નિ:શંક્તિાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય-પંચાસ્તિકાયસાતતત્ત્વ-નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચનસિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યકત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થ- દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ના લાવવી, તેમાં મૂઢદષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાભ્ય પ્રગટ કરવું-એ આઠ ગુણ તેમાં (દેવ-ગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠ ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યકત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે “આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે' એમ કહે છે:धम्म ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्टेण। काउ तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो।। ४२६ ।। धर्मं न जानाति जीव: अथवा जानाति कथमपि कष्टेन। कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः।। ४२६ ।।
અર્થ- આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com