________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થ:- અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં તેને આચ૨વો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દષ્ટાંતપૂર્વક કહે છેઃ
जह जीवो कुणइ रई पुत्तकलत्तेसु कामभोगेसु । तह जइ जिणिदधम्मे तो लीलाए सुहं लहदि ।। ४२७ ।।
यथा जीवः करोति रतिं पुत्रकलत्रेषु कामभोगेषु । तथा यदि जिनेन्द्रधर्मे तत् लीलया सुखं लभते ।। ४२७ ।।
અર્થ:- જેમ આ જીવ પુત્ર-કલત્રમાં તથા કામ-ભોગમાં રિતપ્રીતિ કરે છે તેમ જો જિતેંદ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થ:- આ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી હોય ?ઃ–
लच्छि वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणइ । बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिप्पत्ति ।। ४२८ ।। लक्ष्मीं वांछति नरः नैव सुधर्मेषु आदरं करोति । बीजेन विना कुत्र अपि किं दृश्यते सस्यनिष्पत्तिः।। ४२८ ।।
અર્થ:- આ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેંન્દ્રના કહેલા મુનિ-શ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે ? જેમ બીજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com