________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૫૧ ગૃહસ્થ કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
देवगुरूण णिमित्तं हिंसारंभो वि होदि जदि धम्मो। हिंसारहिदो धम्मो इदि जिणवयणं हवे अलियं ।। ४०७।।
देवगुर्वो: निमित्तं हिंसारम्भः अपि भवति यदि धर्मः। हिंसारहित: धर्म: इति जिनवचनं भवेत् अलीकम्।।४०७।।
અર્થ:- દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે “ધર્મ હિંસા રહિત છે” એ વચન જૂઠ ઠરે.
ભાવાર્થ- ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતામ્બર કહે છે તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છે:इदि एसो जिणधम्मो अलद्धपुव्वो अणाइकाले वि। मिछत्तसंजुदाणं जीवाणं लद्धिहीणाणं ।। ४०८।।
इति एषः जिनधर्म: अलब्धपूर्वः अनादिकाले अपि। मिथ्यात्वसंयुतानां जीवानां लब्धिहीनानाम्।। ४०८ ।।
અર્થ:- એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે, જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થ- જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ) એવી છે કે તેને જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com