________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા हिंसावचनं न वदति कर्कशवचनं अपि यः न भाषते। निष्ठुरवचनं अपि तथा न भाषते गुह्यवचनं अपि।। ३३३ ।। हितमितवचनं भाषते सन्तोषकरं तु सर्वजीवानाम्। धर्मप्रकाशनवचनं अणुव्रती भवति स: द्वितीयः।। ३३४।।
અર્થ:- જે હિંસાનું વચન ન કહે, કર્કશવાકય ન કહે, નિષ્ફરવચન ન કહે તથા પરનાં ગુહ્યવચન ન કહે (તો કેવાં વચન કહે ?) સ્વ-પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સદ્ધર્મને પ્રકાશવાવાળાં વચન કર્યું તે પુરુષ બીજા સત્યાણુવ્રતનો ધારક થાય છે.
ભાવાર્થ- અસત્યવચન અનેક પ્રકારનાં છે. તેમનો સર્વથા ત્યાગ તો સકલચારિત્રધારક મુનિને હોય છે અને અણુવ્રતમાં તો પૂલ (અસત્ય)નો જ ભાગ હોય છે. જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવાં હિંસાના વચન ન કહે, જે વચન બીજાને કડવું લાગેસાંભળતાં જ ક્રોધાદિ ઉત્પન્ન થાય એવાં કર્કશવચન ન કહે, બીજાને ઉદ્વેગ, ભય, શોક અને કલહુ ઊપજી આવે એવાં નિષ્ફરવચન ન કહે, અન્યના ગુસમર્મના પ્રકાશક વચન ન કહે તથા ઉપલક્ષણથી અન્ય પણ એવાં કે જેમાં અન્યનું અહિત થાય એવાં વચન ન કહે. ત્યારે કેવાં વચન કહે? કહે તો હિત- મિત વચન કહે, સર્વ જીવોને સંતોષ ઊપજે, તથા જેનાથી સદ્ધર્મનો પ્રકાશ થાય એવાં કહે. વળી મિથ્યાઉપદેશ, રહોભ્યાખ્યાન, કુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ અતિચારો ગાથામાં વિશેષણ કહ્યાં તેમાં આવી જાય છે.* અહીં તાત્પર્ય
* ૧. સ્વર્ગમોક્ષના સાધક ક્રિયાવિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું,
એ સંબંધી જૂઠો ઉપદેશ આપવો તે મિથ્થોપદેશ નામનો અતિચાર છે. ૨. સ્ત્રી-પુરુષના એકાંતમાં થયેલા ક્રિયા-આચરણનો બહાર પ્રકાશ કરવો તે
રહોભ્યાખ્યાન અતિચાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com