________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૨૩
ભાવાર્થ:- જીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય તો તે સચિત્તવિરતપ્રતિમા ધાક શ્રાવક છે.*
जो ण य भक्खेदि सयं तस्स ण अण्णस्स जुज्जदे दारं । भुत्तस्स भोजिदस्स हि णत्थि विसेसो जदो को वि ।। ३८० ।। यः न च भक्षयति स्वयं तस्य न अन्यस्मै युज्यते दातुम् । भुक्तस्य भोजयिष्यतः हि नास्ति विशेषः यतः कः अपि ।। ३८० ।।
અર્થ:- વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી, કારણ કે ખાવાવાળા અને ખવરાવવાવાળામાં કાંઈ વિશેષ ( ભેદ ) નથી. કૃત તથા કારિતનું ફળ એકસરખું છે તેથી જે વસ્તુ પોતે ન ખાય તે અન્યને પણ નહિ ખવરાવતાં જ સચિત્તત્યાગવ્રતનું પાલન થાય છે.
जो वज्जेदि सचित्तं दुज्जय-जीहा वि णिज्जिया तेण । दयभावो होदि किओ जिणवयणं पालियं तेण ।। ३८१ । ।
*सुक्कं पक्कं तत्तं अंविललवणेहिं मिस्सियं दव्वं । जं जंतेण य छिण्णं तं सव्वं फासुयं भणियं ॥
शुष्कं पक्कं तप्तं अम्ललवणाभ्यां मिश्रितं द्रव्यम् । यत् यन्त्रेण च छिन्नं तत् सर्वं प्रासुकं भणितम्।।
અર્થ:- સુકાવેલી, પકાવેલી, ખટાશ વા લવણથી મેળવેલી, યંત્રથી છિન્નભિન્ન કરેલી તથા શોધેલી એવી બધીય લીલોતરી (હરિતકાય ) પ્રાસુક એટલે જીવરહિત અચિત્ત થાય છે-કહેવાય છે.
यथा शुष्कपक्वध्वस्ताम्ललवणसंमिश्रदग्धादि द्रव्यं
प्रासुकं ततस्तत्सेवने पापबंधो नास्तीति।।
(શ્રી ગોમ્મટસાર, જીવકાંડ ગા૦ ૨૨૪ ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com