________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૧
ધર્માનુપ્રેક્ષા] શિક્ષા શ્રાવકને પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોપધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેण्हाणविलेवणभूसणइत्थीसंसग्गगंधधूवादी।
जो परिहरेदि णाणी वेरग्गाभूसणं किच्चा।। ३५८ ।। दोसु वि पव्वेसु सया उववासं एयभत्तणिव्वियडी। जो कुणदि एवमाई तस्स वयं पोसहं बिदियं ।। ३५९ ।।
स्नानविलेपनभूषणस्त्रीसंसर्गगन्धधूपादीन्।
ય: પરિહરતિ જ્ઞાની વૈરાશ્યામૂષનું વૃત્તાના રૂ૬૮ાા. द्वयोः अपि पर्वणोः सदा उपवासं एकभक्तनिर्विकृति। यः करोति एवमादीन् तस्य व्रतं प्रोषधं द्वितीयम्।। ३५९ ।।
અર્થ:- જે જ્ઞાની શ્રાવક એક પક્ષનાં આઠમ-ચૌદશ બંને પર્વોમાં સ્નાન, વિલેપન, આભૂષણ, સ્ત્રીસંસર્ગ, સુગંધ, ધૂપ, દીપ આદિ ભોગોપભોગની વસ્તુને છોડી વૈરાગ્યભાવનારૂપ આભરણથી આત્માને શોભાયમાન કરી ઉપવાસ વા એકમુક્તિ વા નીરસ આહાર કરે અથવા આદિશબ્દથી કાંજી કરે વા માત્ર ભાત- પાણી જ લે તેને પ્રોષધોપવાસ નામનું શિક્ષાવ્રત હોય છે.
ભાવાર્થ- જેમ સામાયિક કરવાના કાળનો નિયમ કરી સર્વ પાપયોગથી નિવૃત્ત થઈ એકાન્તસ્થાનમાં ધર્મધ્યાનપૂર્વક બેસે છે, તે જ પ્રમાણે સર્વ ઘરકાર્યનો ત્યાગ કરી સમસ્ત ભોગોપભોગસામગ્રી છોડી સાતમ અને તેરસના બે પહોર દિવસ પછી એકાન્તસ્થાનમાં બેસી ધર્મધ્યાન કરતો થકો સોળ પહોર સુધી મુનિની માફક રહે, તથા નોમ અને પૂર્ણિમા-અમાસના બે પહોર વીત્યા પછી પ્રતિજ્ઞા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com