________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભવતિા
देवेन्द्रनरेन्द्रवन्दितः
सम्यक्त्वगुणप्रधान: त्यक्तव्रतः अपि च प्राप्नोति स्वर्गसुखं उत्तमं विविधम् ।। ३२६ ।।
અર્થ:- સમ્યક્ત્વગુણ સહિત જે પુરુષ પ્રધાન (શ્રેષ્ઠ) છે તે દેવોના ઇંદ્રોથી, મનુષ્યોના ઇન્દ્ર ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે, અને વ્રતરહિત હોય તોપણ નાના પ્રકારનાં ઉત્તમ સ્વર્ગાદિકનાં સુખ પામે છે.
ભાવાર્થ:- જેનામાં સમ્યગ્દર્શન ગુણ છે તે પ્રધાનપુરુષ છે. તે ઇન્દ્રાદિ દેવોથી પૂજ્ય થાય છે. સમ્યક્ત્વસહિત (જીવ) દેવનું જ આયુ બાંધે છે, તેથી વ્રતરતિને પણ સ્વર્ગગતિમાં જવું મુખ્ય કહ્યું છે. વળી સમ્યક્ત્વગુણપ્રધાનનો આવો પણ અર્થ થાય છે કે-પચ્ચીસ મળદોષ રહિત હોય, પોતાના નિઃશંક્તિાદિ અને સંવેગાદિ ગુણો સહિત હોય એવા સમ્યક્ત્વના ગુણોથી જે પ્રધાનપુરુષ હોય તે દેવેન્દ્રાદિ દ્વારા પૂજનીય થાય છે–સ્વર્ગને પ્રાપ્ત થાય છે.
सम्माइट्ठी जीवो दुग्गदिहेदुं ण बंधदे कम्मं ।
जं बहुभवेसु बद्धं दुक्कम्मं तं पि णासेदि ।। ३२७ ।।
सम्यग्दृष्टिर्जीवः दुर्गतिहेतुं न बध्नाति कर्म । यत् बहुभवेषु बद्धं दुष्कर्म तत् अपि नाशयति ।। ३२७।।
અર્થ:- સમ્યગ્દષ્ટિજીવ દુર્ગતિના કારણરૂપ અશુભકર્મોને બાંધતો નથી પરંતુ પૂર્વે ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ મરણ કરીને પ્રથમ નરક વિનાનાં બાકીનાં નરકોમાં જતો નથી. જ્યોતિષ, વ્યંતર અને ભવનવાસીદેવ થતો નથી, સ્ત્રીપર્યાયમાં ઊપજતો નથી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય ( બે-ત્રણ-ચાર ઇન્દ્રિયધારી), અસંશી, નિગોદ, મ્લેચ્છ
તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com