________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા જન્મ-મરણ ઉપલક્ષણથી દુઃખ-સુખ-રોગ-દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જે પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે, તેને ઇદ્ર કે નિંદ્ર-તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થાને જાણે છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે પણ તેમાં હીનાધિક કાંઈ થતું નથી એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે.
હવે “એવો તો સમ્યગ્દષ્ટિ છે પણ તેમાં સંશય કરે છે તે મિથ્યાદષ્ટિ છે” એમ કહે છે :एवं जो णिच्छयदो जाणदि दव्वाणि सव्वपज्जाए। सो सद्दिट्ठी सुद्धो जो संकदि सो हु कुदिठी।। ३२३।। एवं यः निश्चयतः जानाति द्रव्याणि सर्वपर्यायान्। સ: સદૃષ્ટિ: શુદ્ધ: ૫: શંતે : દfe:ો રૂરરૂાા
અર્થ - એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે-શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા-સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ છેપ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
હવે કહે છે કે જે વિશેષ તત્ત્વને ન જાણતો હોય પણ જિનવચનમાં આજ્ઞામાત્ર શ્રદ્ધાન કરે છે તેને પણ શ્રદ્ધાવાન કહીએ છીએ :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com