________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અનુરાગી-વાત્સલ્યગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યગ્દષ્ટિ હોય છે. એ ત્રણે ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યક્ત્વનું યથાર્થપણું નથી.
૧
देहमिलियं पि जीवं णियणाणगुणेण मुणदि जो भिण्णं । जीवमिलियं पि देहं कंचुवसरिसं वियाणेइ ।। ३१६ ।। देहमिलितं अपि जीवं निजज्ञानगुणेन जानाति यः भिन्नम् । जीवमिलितं अपि देहं कञ्चुकसदृशं विजानाति ।। ३१६ । ।
અર્થ:- આ જીવ, દેહની સાથે મળી રહ્યો છે તોપણ, પોતાના જ્ઞાનગુણ વડે પોતાને દેહથી જુદો જ જાણે છે. વળી દેહ જીવની સાથે મળી રહ્યો છે તોપણ, તેને (દેહને) તે કંચુક એટલે કપડાના જામા જેવો જાણે છે. જેમ દેહથી જામો જુદો છે તેમ જીવથી દેહ જુદો છે એમ તે જાણે છે.
णिज्जियदोसं देवं सव्वजिवाणं दयावरं धम्मं । वज्जियगंथं च गुरुं जो मण्णदि सो हु सद्दिट्ठी ।। ३१७ ।।
निर्जितदोषं देवं सर्वजीवानां दयापरं धर्मम् । वर्जितग्रन्थं च गुरुं यः मन्यते सः स्फुटं सद्दृष्टिः।। ३१७।।
અર્થ:- જે જીવ દોષરહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિગ્રંથગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:- સર્વજ્ઞ વીતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે પણ અન્ય દોષસહિત દેવ છે તેને ‘આ સંસારી છે, પણ મોક્ષમાર્ગી નથી ' એમ જાણી વંદતો-પૂજતો નથી, અહિંસામય
,
૧ સાધર્મીથી અધિક જસ, પરિજન ઉપર પ્રેમ;
તાસ ન સમકિત માનીએ, આગમ નીતિ એમ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com