________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કેવા પરિણામ થાય છે તે કહે છે :जो ण य कुव्वदि गव्वं पुत्तकलत्ताइसव्वअत्थेसु। उवसमभावे भावदि अप्पाणं मुणदि तिणमेत्तं ।। ३१३।। यः न च कुर्वते गर्वं पुत्रकलत्रादिसर्वार्थेषु।। उपशमभावान् भावयति आत्मानं मन्यते तृणमात्रम्।। ३१३।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિ છે તે પુત્ર–કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી, (જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક્ત્વ શાનું?) ઉપશમભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણસમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિરૂપ છે એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. विसयासत्तो वि सया सव्वारंभेसु वट्टमाणो वि। मोहविलासो एसो इदि सव्वं मण्णदे हेयं ।। ३१४ ।। विषयासक्तः अपि सदा सर्वारम्भेषु वर्तमानः अपि। मोहविलासः एष: इति सर्वं मन्यते हेयम्।। ३१४।।
અર્થ:- જો કે અવિરતસમ્યગ્દષ્ટિ ઇન્દ્રિયવિષયોમાં આસક્ત છે, ત્રણ-સ્થાવરજીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે, તથા અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી તોપણ તે એમ જાણે છે કે આ મોહકર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી, ઉપાધિ છે–રોગવત્ છે–તજવા યોગ્ય છે. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com