________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
શ્રદ્ધાનને નવ ગાથાસૂત્રો દ્વારા કહે છે :
जो तच्चमणेयंतं णियमा सद्दहदि सत्तभंगेहिं । लोयाण पह्नवसदो ववहारपवत्तणट्टं च।। ३११।। जो आयरेण मण्णदि जीवाजीवादि णवविहं अत्थं । सुदणाणेय णएहिं य सो सद्दिट्ठी हवे सुद्धो ।। ३१२ ।।
यः तत्त्वं अनेकान्तं नियमात् श्रद्दधाति सप्तभङ्गैः । लोकानां प्रश्नवशतः व्यवहारप्रवर्त्तनार्थं વાત ? || यः आदरेण मन्यते जीवाजीवादि नवविधं अर्थम् । શ્રુતજ્ઞાનેન નથૈ: ૪ સ: સદૃષ્ટિ: ભવેત્ શુદ્ધ:।।૧૨।।
અર્થ:- જે પુરુષ સસ ભંગો દ્વારા અનેકાન્તતત્ત્વોનું નિયમથી શ્રદ્ધાન કરે છે, [કારણ કે લોકોના પ્રશ્નવશ વિધિ-નિષેધથી વચનના સાત જ ભંગ થાય છે. (યથા પ્રશ્નવશાવેસ્મિન્વસ્તુવિરોધેન વિધિપ્રતિષેષવિલ્પના સપ્તમની: શ્રી રાજવાર્તિક-સૂત્ર ૫, કારિકા ૫, પૃષ્ઠ ૨૪) તેથી વ્યવહા૨પ્રવર્તના અર્થે પણ સાત ભંગોથી વચનની પ્રવૃત્તિ થાય છે.] વળી જે જીવ-અજીવાદિ નવ પ્રકારના પદાર્થોને શ્રુતજ્ઞાનપ્રમાણથી અને તેના ભેદ જે નય તેનાથી પોતાના આદર યત્ન-ઉધમથી માને-શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:- વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ હોય તેને અનેકાન્ત કહે છે. તે ધર્મ અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, ભેદત્વ, અભેદત્વ, અપેક્ષાત્વ, દૈવસાધ્યત્વ, પૌરુષસાધ્યત્વ, ઠંતુસાધ્યત્વ, આગમસાધ્યત્વ, અંતરંગત્વ, બહિરંગત્વ ઇત્યાદિ તો સામાન્યધર્મ છે તથા દ્રવ્યત્વ, પર્યાયત્વ, જીવત્વ, અવત્વ, સ્પર્શત્વ, રસત્વ, ગન્ધત્વ, વર્ણત્વ, શબ્દત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, સંસારત્વ, સિદ્ધત્વ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com