________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે. હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે
છે :
जो अण्णोणपवेसो जीवपएसाण कम्मखंधाणं । सव्वबंधाण विलओ सो बंधो होदि जीवस्स ।। २०३ ।
यः अन्योन्यप्रवेशः जीवप्रदेशानां कर्मस्कन्धानाम् । सर्वबन्धानां अपि लयः सः बन्धः भवति जीवस्य ।। २०३ ।।
અર્થ::- જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્ એકરૂપ હોવું છે.
હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-૫૨મ તત્ત્વ છે એમ કહે
છે :
उत्तमगुणाण धामं सव्वदव्वाण उत्तमं दव्वं । तच्चाण परमतच्चं जीवं जाणेह णिच्छयदो ।। २०४ ।।
उत्तमगुणानां धाम सर्वद्रव्याणं उत्तमं द्रव्यं । तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः।। २०४।।
અર્થ:- જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે–જ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે કારણ કે સર્વ દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે-એમ હું ભવ્ય! તું નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છે :
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com