________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૨૧ હવે “જીવ પણ જીવને ઉપકાર કરે છે એમ કહે છે :जीवा वि दु जीवाणं उवयारं कुणदि सव्वपच्चक्खं। तत्थ वि पहाणहेऊ पुण्णं पावं च णियमेण।। २१०।। जीवाः अपि तु जीवानां उपकारं कुर्वन्ति सर्वप्रत्यक्षम्। तत्र अपि प्रधानहेतु: पुण्यं पापं च नियमेन।। २१०।।
અર્થ- જીવો પણ જીવોને પરસ્પર ઉપકાર કરે છે અને તે સર્વને પ્રત્યક્ષ જ છે. સરદાર ચાકર-ચાકર સરદારને, આચાર્ય શિષ્યને-શિષ્ય આચાર્યને, માતપિતા પુત્રને-પુત્ર માતપિતાને, મિત્ર મિત્રને, સ્ત્રી ભરથારને ઇત્યાદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં એ પરસ્પર ઉપકારમાં પુણ્ય-પાપકર્મ નિયમથી પ્રધાન કારણ છે.
હવે “પુદ્ગલની પણ મોટી શક્તિ છે” એમ કહે છે :का वि अपुव्वा दीसदि पुग्गलदव्वस्स एरिसी सत्ती। केवलणाणसहाओ विणासिदो जाइ जीवस्स।। २११ ।। का अपि अपूर्वा दृश्यते पुद्गलद्रव्यस्य ईदृशी शक्तिः। केवलज्ञानस्वभाव: विनाशित: याति जीवस्य ।। २११।।
અર્થ:- પુદ્ગલદ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં આવે છે કે જીવનો કેવળજ્ઞાન સ્વભાવ છે તે પણ જે શક્તિથી વિણશી જાય છે.
ભાવાર્થ- જીવની અનંત શક્તિ છે તેમાં કેવલજ્ઞાન શક્તિ એવી છે કે જેની વ્યક્તિ (પ્રકાશ-પ્રગટતા) થતાં સર્વ પદાર્થોને તે એક કાળમાં જાણે છે. એવી વ્યક્તિ ( પ્રગટતા)ને પુદ્ગલ નષ્ટ કરે છે-પ્રગટ થવા દેતું નથી. એ અપૂર્વ શક્તિ છે. એ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com