SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તેથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે. હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે છે : जो अण्णोणपवेसो जीवपएसाण कम्मखंधाणं । सव्वबंधाण विलओ सो बंधो होदि जीवस्स ।। २०३ । यः अन्योन्यप्रवेशः जीवप्रदेशानां कर्मस्कन्धानाम् । सर्वबन्धानां अपि लयः सः बन्धः भवति जीवस्य ।। २०३ ।। અર્થ::- જીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્ એકરૂપ હોવું છે. હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-૫૨મ તત્ત્વ છે એમ કહે છે : उत्तमगुणाण धामं सव्वदव्वाण उत्तमं दव्वं । तच्चाण परमतच्चं जीवं जाणेह णिच्छयदो ।। २०४ ।। उत्तमगुणानां धाम सर्वद्रव्याणं उत्तमं द्रव्यं । तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः।। २०४।। અર્થ:- જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે–જ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે કારણ કે સર્વ દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે-એમ હું ભવ્ય! તું નિશ્ચયથી જાણ. હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છે : Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy