________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૯
अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि । णाणविहीणं दव्वं हियाहियं णेव जाणादि । । २०५ ।।
अन्तस्तत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि । ज्ञानविहीनं द्रव्यं हिताहितं नैव जानाति।। २०५ ।।
અર્થ:- જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો બાહ્યતત્ત્વ છે-જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિતઅહિત અર્થાત્ હૈય–ઉપાદેય વસ્તુને કેમ જાણે ?
ભાવાર્થ:- જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હૈય–ઉપાદેયને સમજવાવાળો એક જીવ જ ૫૨મ તત્ત્વ છે :
હવે પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
सव्वो लोयायासो पुग्गलदव्वेहिं सव्वदो भरिदो । सुहमेहिं बायरेहिं य णाणाविहसत्तिजुत्तेहिं ।। २०६ ।। सर्वः लोकाकाशः पुद्गलद्रव्यैः सर्वतः भृतः । સૂક્ષ્મ: વાવ: 7 નાનાવિધશક્તિયુÔ:।। ર૦૬ ।। અર્થ:- સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્દગલદ્રવ્યો ? નાના પ્રકારની શક્તિઓ સહિત છે.
ભાવાર્થ:- શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત સૂક્ષ્મ-બાદર પુદ્દગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
जं इंदिएहिं गिज्झं रूवरसगंधफासपरिणामं । तं चिय पुग्गलदव्वं अनंतगुणं जीवरासीदो ।। २०७ ।। यत् इन्द्रियैः ग्राह्यं रूपरसगन्धस्पर्शपरिणामम्। त्त एव पुद्गलद्रव्यं अनन्तगुणं जीवराशितः।। २०७।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com