________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા परिणामस्वभावात् प्रतिसमयं परिणमन्ति द्रव्याणि। तेषां परिणामात् लोकस्य अपि जानीहि परिणामम्।। ११७ ।।
અર્થ:- આ લોકમાં છએ દ્રવ્યો છે તે પરિણામસ્વભાવી છે તેથી તેઓ સમયે સમયે પરિણમે છે; તેમના પરિણમવાથી લોકના પણ પરિણામ જાણો.
- દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે; તેથી દ્રવ્યોના પરિણામ છે તે જ લોકના પણ પરિણામ થયા. અહીં કોઈ પૂછે કે-પરિણામ એટલે શું? તેનો ઉત્તર :- પરિણામ નામ પર્યાયનું છે; જે દ્રવ્ય એક અવસ્થારૂપ હતું તે પલટાઈ અન્ય અવસ્થારૂપ થયું (તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડઅવસ્થારૂપ હતી, તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
- હવે લોકનો આકાર તો નિત્ય છે-એમ ધારી તેના વ્યાસાદિ (માપ) કહે છે :
सत्तेक्क-पंच-इक्का: मूले मज्झे तहेव बंभंते। लोयंते रज्जूओ पुव्वावरदो य वित्थारो।। ११८ ।। સપ્ત-:-પંઘ-1: મૂને મધ્યે તથૈવ બ્રહ્માન્તો लोकान्ते रज्जव: पूर्वापरतः च विस्तारः।।११८ ।।
અર્થ - લોકનો નીચે મૂળમાં પૂર્વ-પશ્ચિમ તો સાત રાજા વિસ્તાર છે, મધ્યમાં એક રાજા વિસ્તાર છે, ઉપર બ્રહ્મસ્વર્ગના અંતમાં પાંચ રાજા વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજાનો વિસ્તાર છે.
ભાવાર્થ- આ લોક નીચલા ભાગમાં પૂર્વ-પશ્ચિમદિશામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com