________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છે :साहारणा वि दुविहा अणाइकाला य साइकाला य। ते वि य बादरसुहुमा सेसा पुण बायरा सव्वे ।। १२५ ।। साधारणाः अपि द्विविधाः अनादिकालाः च सादिकालाः च। ते अपि च बादरसूक्ष्माः शेषाः पुन: बादरा: सर्वे।। १२५ ।।
અર્થ- સાધારણ જીવો બે પ્રકારના છે : અનાદિકાલીન એટલે નિત્યનિગોદ તથા સાદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે. બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે.
ભાવાર્થ- પૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદ એ બંને-એ પ્રમાણે છે પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છે :साहारणाणि जेसिं आहारुस्सासकायआऊणि। ते साहारणजीवा णताणंतप्पमाणाणं ।। १२६ ।। साधारणानि येषां आहारोच्छ्वासकायआयूंषि। ते साधारणजीवाः अनन्तानन्तप्रमाणानाम् ।।१२६ ।।
અર્થ:- જે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છવાસ, કાય અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com