________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા નવ ભેદ છે. તે આ પ્રમાણે-જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી પરીતાનંત; જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારથી અનંતાનંત-એ પ્રમાણે અનંતના નવ ભેદ છે. એ પ્રમાણે સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના નવ તથા અનંતના નવ મળી અલૌકિક ગણિતના એકવીસ ભેદ થયા.
ત્યાં જઘન્યપરીતાસંખ્યાત (નું માપ) લાવવા માટે જંબૂદ્વીપ જેવડા લાખ લાખ યોજનના વ્યાસવાળા તથા હજાર હજાર યોજન ઊંડા ચાર કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ, ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં છેતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ; તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ ત્યાં જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે અનવસ્થાકુંડ કરી તેમાં સરસવ ભરીએ અને શલાકાકુંડમાં એક સરસવ બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને નાખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છંતાલીસ અંકપ્રમાણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com