________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૭
લોકાનુપ્રેક્ષા ] શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ ભરાતો જાય. જ્યારે છતાલીશ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેતાલીસ અંકોના ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
તેમાંથી એક સરસવ ઘટાડતાં તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય, તથા બે સરસવ પ્રમાણ જઘન્ય સંખ્યાત કહેવાય, તથા વચ્ચેના બધાય મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા.
વળી તે જઘન્ય પરીતાસંખ્યાતના સરસવની રાશિને એક એક વિખેરી એક એક ઉપર તે જ રાશિને સ્થાપિ પરસ્પર ગુણતાં અંતમાં જે રાશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક) ભેદ જાણવા.
વળી જઘન્ય યુક્તાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાત વડ એક વાર પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત કહેવાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત થાય છે. વચ્ચેના નાના ભેદ મધ્યમ યુક્તાસંખ્યાતના જાણવા.
હવે એ જઘન્ય અસંખ્યાતાસંખ્યાતપ્રમાણ ત્રણ રાશિ કરવી. એક શલાકારાશિ, એક વિરલનરાશિ, એક દેયરાશિ. ત્યાં વિરલનરાશિને વિખેરી એક એક જુદા જુદા કરવા, એક એકના ઉપર એક એક દેયરાશિ મુકવી. તેને પરસ્પર ગુણતાં જ્યારે સર્વ ગુણાકાર થઈ રહે ત્યારે એક રૂપ શલાકારાશિમાંથી ઘટાડવું. વળી ત્યાં જે રાશિ થઈ તે પ્રમાણે વિરલન દેયરાશિ કરવી. ત્યાં એ વિરલનને વિખેરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com