________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પ્રકારના છે. ત્યાં મંદકષાયરૂપ પરિણામ છે તે તો પુણ્યાસવ છે તથા તીવ્રકષાયરૂપ પરિણામ છે તે પાપાસ્રવ છે.
હવે મંદ–તીવ્ર કષાયનાં પ્રગટ દૃષ્ટાંત કહે છેઃ
મંદ-તીવ્રકષાયનાં પ્રગટ દૃષ્ટાંત
सव्वत्थ वि पियवयणं दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वेसिं गुणगहणं मंदकसायाण વિકતા।।૧૬।। सर्वत्र अपि प्रियवचनं दुर्वचने दुर्जने अपि क्षमाकरणम् । सर्वेषां गुणग्रहणं मन्दकषायाणां દષ્ટાન્તા:।।૧૬।।
અર્થ:- સર્વ જગ્યાએ શત્રુ- મિત્રાદિમાં પ્રિય-હિતરૂપ વચન બોલવાં, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી તથા સર્વ જીવોના ગુણ જ ગ્રહણ કરવા-એ સર્વ મંદકષાયી જીવોનાં દષ્ટાંત છે.
अप्पपसंसणकरण पुज्जेसु वि दोसगहणसीलत्तं । वेरधरणं च सुइरं तिव्वकसायाण लिंगाणि' ।। ९२ ।।
'हरिततृणाङ्कुरचारिणि, मन्दा मृगशावके भवति मूर्च्छा । उन्दरनिकरोन्माथिनि, माज्जारे सैव जायते तीव्रा ।।
( શ્રી પુરુષાર્થ સિદ્ધિઉપાય- ૧૨૧)
અર્થ:- લીલા ઘાસના અંકુર ચરવાવાળા હરણના બચ્ચામાં (એ ઘાસ ચરતી વેળા) પણ તત્સંબંધી મૂર્છા મંદ હોય છે ત્યારે તે જ હિંસા ઉંદરોના સમૂહનું ઉન્મૂથન કરવાવાળી બિલ્લીમાં તીવ્ર હોય છે. હરણ તો સ્વભાવથી જ લીલાં ઘાસની અધિક શોધમાં રહેતું નથી છતાં જ્યારે તેને લીલું ઘાસ મળી પણ જાય તો તે થોડું ઘણું ખાઈને તેને છોડીને ભાગી જાય છે, પરંતુ બિલ્લી તો પોતાના ખાધપદાર્થની તપાસમાં સ્વભાવથી જ અધિક ચેષ્ટિત રહે છે. વળી તે ખાદ્યપદાર્થ મળતાં તેમાં એટલી બધી અનુરક્ત થાય છે કે માથા ઉપર ડાંગ મારવા છતાં તેને છોડતી નથી. એટલે આ હરણ અને બિલ્લી એ બે, મંદ અને તીવ્રકષાયનાં સરલ અને પ્રગટ ઉદાહરણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com