________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[૬૩
નિરાદર કરે તો તે
ભાવાર્થ:- મિથ્યાત્વાદિ દોષોનો મિથ્યાત્વાદિકર્મો ક્યાંથી ટકે! ઝડી જ જાય.
तस्स य सहलो जम्मो तस्स वि पावस्स णिज्जरा होदि । तस्स वि पुण्णं वढ्ढदि तस्स य सोक्खं परं होदि । । ९९३ । । तस्य च सफलं जन्म तस्य अपि पापस्य निर्जरा भवति । तस्य अपि पुण्यं वर्धते तस्य च सौख्यं परं भवति ।। ११३ ।।
અર્થ:- જે સાધુ એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે નિર્જરાના કારણોમાં પ્રર્વતે છે તેનો જ જન્મ સફળ છે, તેને જ પાપકર્મોની નિર્જરા થાય છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- જે નિર્જરાનાં કારણોમાં પ્રવર્તે છે તેને પાપનો નાશ થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે તથા તે સ્વંગાદિનાં સુખ ભોગવી (અનુક્રમે ) મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે ઉત્કૃષ્ટ નિર્જરાના સ્વામીનું સ્વરૂપ કહીને નિર્જરાનું કથન પૂરું કરે છે
जो समसोक्खणिलीणो वारंवारं सरेइ अप्पाणं । इंदियकसायविजई तस्स हवे णिज्जरा परमा ।। ११४ ।। यः समसौख्यनिलीनः वारंवारं स्मरति आत्मानम् । इन्द्रियकषायविजयी तस्य भवेत् निर्जरा परमा ।। ११४ ।।
અર્થ:- જે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ ૫૨મચારિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇંદ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com