________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એ મિથ્યાત્વાદિ ભાવોને હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો- તે આસ્રવાનુપ્રેક્ષા હોય છે.
(દોહરો) આસવ પંચ પ્રકારને, ચિંતવી તજે વિકાર; તે પામે નિજરૂપને, એ જ ભાવનાસાર.
ઇતિ આગ્નવાનુપ્રેક્ષા સમાસ.
*
*
*
૮. સંવરાનુપ્રેક્ષા હવે સાત ગાથા દ્વારા સંવરાનુપ્રેક્ષા કહે છેसम्मत्तं देसवयं महव्वयं तह जओ कसायाणं। एदे संवरणामा जोगाभावो तह च्चेव।।९५।। सम्यक्त्वं देशव्रतं महाव्रतं तथा जयः कषायाणाम्। एते संवरनामान: योगाभावः तथा च एव।।९५।।
અર્થ - સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ-એ સંવરનાં નામ છે.
ભાવાર્થ- પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ પ્રકારના આસ્રવ કહ્યા હતા. તેમને અનુક્રમપૂર્વક રોકવા એ જ સંવર છે. તે કેવી રીતે ? મિથ્યાત્વનો અભાવ તો ચોથા ગુણસ્થાનમાં થયો એટલે ત્યાં મિથ્યાત્વનો સંવર થયો, અવિરતિનો અભાવ એકદેશપણે તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનમાં તથા સર્વદશપણે છઠ્ઠી પ્રમત્તગુણસ્થાનમાં થયો એટલે ત્યાં અવિરતિનો સંવર થયો, અપ્રમત્તગુણસ્થાનમાં પ્રમાદનો અભાવ થયો એટલે ત્યાં પ્રમાદનો સંવર થયો, ક્ષણમોહ નામના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com