________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવરાનુપ્રેક્ષા ]
[૫૫
બારમા ગુણસ્થાને કષાયનો અભાવ થયો એટલે ત્યાં કષાયનો સંવર થયો તથા અયોગી જિનમાં યોગોનો અભાવ થયો એટલે એ અયોગીસ્થાને યોગનો સંવર થયો. એ પ્રમાણે સંવરનો ક્રમ છે.
હવે એ જ વિશેષપણે કહે છેઃ
गुत्ती समिदी धम्मो अणुवेक्खा तह य परिसहजओ वि। उक्किट्ठ चारित्तं संवरदू વિસેસે।।૧૬।। गुप्तयः समितियः धर्म: अनुप्रेक्षाः तथा च परीषहजयः अपि । úúÉ चारित्रं संवरहेतवः વિશેષેન।।૧૬।।
અર્થ:- કાય-વચન-મન એ ત્રણ ગુતિ, ઇર્યા-ભાષા-એષણાઆદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મ, અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારનાં ચારિત્ર-એટલાં વિશેષપણે સંવરનાં કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ
गुत्ती जोगणिरोह समिदी य पमादवज्जणं चेव । धम्मो दयापहाणो सुतच्चचिंता अणुप्पेहा ।। ९७ ।। गुप्तिः योगनिरोधः समितिः च प्रमादवर्जनं चैव । ધર્મ: दयाप्रधानः सुतत्त्वचिन्ता
अनुप्रेक्षा ।। ९७ ।।
અર્થ:- યોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવાદિ તત્ત્વો અને નિજ સ્વરૂપનું ચિંતવન તે અનુપ્રેક્ષા છે.
सो वि परीसहविजओ छुहादिपीडाण अइरउद्दाणं । सवणाणं च मुणीणं उवसमभावेण जं सहणं ।। ९८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com