________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ૭. આસવાનુપ્રેક્ષા मणवयणकायजोया जीवपएसाण फंदणविसेसा। मोहोदएण जुत्ता विजुदा वि य आसवा होति।।८८।। मनवचनकाययोगाः जीवप्रदेशानां स्पन्दनविशेषाः। मोहोदयेन युक्ताः वियुताः अपि च आस्रवाः भवन्ति।।८८ ।।
અર્થ- મન-વચન-કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. કેવા છે તે યોગ? જીવપ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન-કંપન તેના જ જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. વળી તે કેવા છે? મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ-કષાયકર્મ સહિત છે તથા એ મોહના ઉદયથી રહિત પણ છે.
ભાવાર્થ- મન-વચન-કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું ચલાચલ થવું તે યોગ છે અને તેને જ આસ્રવ કહીએ છીએ. તે, ગુણસ્થાનોની પરિપાટી અનુસાર સૂક્ષ્મસાપરાય નામના દશમાં ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવિત મિથ્યાત્વકપાયોથી સહિત હોય છે તેને સાંપરાયિક આસ્રવ કહીએ છીએ તથા તેની ઉપરના તેરમાં ગુણસ્થાન સુધી મોહના ઉદયરહિત (યોગ) છે તેને ઇર્યાપથ આસ્રવ કહીએ છીએ. જે પુદ્ગલવર્ગણાઓ કર્મરૂપ પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહીએ છીએ તથા જીવપ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાગ્નવ કહીએ છીએ.
- હવે મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ (ખરેખર) આસ્રવ છે એમ વિશેષપણે કહે છે – मोहविवागवसादो जे परिणामा हवंति जीवस्स। ते आसवा मुणिज्जसु मिच्छत्ताई अणेयविहा।। ८९ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com